Jul 31, 2021

Gujarati-Ramayan-Rahasya-30-ગુજરાતી-રામાયણ-રહસ્ય-30

શ્રી રામાયણ એ રામજીનું નામ-સ્વ-રૂપ હોઈ,જીવ માત્રનો તે ઉદ્ધાર કરે છે,રામજીએ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો પણ રામાયણે તો ગણ્યા ગણાય નહિ એટલા જીવોનું કલ્યાણ કર્યું છે,કરે છે અને કરશે.તેથી જ રામાયણ એ શ્રેષ્ઠ છે એમ કહેવાય છે.
રામાયણના સાત કાંડ  તુલસીદાસજી એ સાત સોપાન કહ્યા છે.સોપાન એટલે પગથિયું.માનવ જીવનનાં આ સાત પગથિયાં છે.
એક પછી એક પગથિયું ચડાવી  જીવ  તે પ્રભુ ચરણ  લઇ જાય છે.