Aug 15, 2021

Gujarati-Ramayan-Rahasya-44-ગુજરાતી-રામાયણ-રહસ્ય-44

ચતુર્ભુજ નારાયણના દર્શન કરી કૌશલ્યાજી પ્રાર્થના કરે છે,પણ જો કૌશલ્યાજીનો આવો ભાવ કાયમ જ રહે તો બાળલીલા કેવી રીતે થાય? એટલે કૌશલ્યાની બુદ્ધિ બદલાઈ.અને તે બોલ્યાં-કે-“તજહુ તાત યહ રૂપા” હે તાત,આ રૂપ તજી દો ને બાળક બની જાઓ,મને મા-મા કહીને બોલાવો.મારે તો તમને બાળ-સ્વ-રૂપે જોવા છે.અને નારાયણ નું ચતુર્ભુજ સ્વ-રૂપ અદશ્ય થયું,ને ભગવાન બે હાથવાળા બાળક બની ગયા.ને બીજાં બાળકો રડે છે તેમ રડવા લાગ્યા.

Aug 14, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-11-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-11


Gujarati-Ramayan-Rahasya-43-ગુજરાતી-રામાયણ-રહસ્ય-43

રામ-જન્મની આગલી રાતે દશરથ રાજા સૂતેલા હતા ત્યાં તેમને રાત્રિના પાછલા પહોરે સુંદર સ્વપ્ન દેખાયું.તે સ્વપ્નમાં જુએ છે કે-તેમને આંગણે મહાત્મા અને ઋષિઓ પધાર્યા છે.અને પોતે સરયુ નદીમાં સ્નાન કરી,ઘેર આવી ઠાકોરજીની પૂજા કરી ભગવાનની આરતી ઉતારતાં ભગવાનના શ્રીઅંગને નિહાળે છે,ત્યારે ભગવાન તેમની સામે જોઈ મરકમરક હસે છે.પછી તેમના શ્રીઅંગમાંથી દિવ્ય તેજ પ્રગટ થાય છે અને કૌશલ્યાજીના શરીરમાં પ્રવેશ કરે છે.આટલું જુએ છે ત્યાં રાજા જાગી જાય છે.જાગીને દશરથ રાજા સીધા વશિષ્ઠ ઋષિ પાસે જઈ અને સ્વપ્નની વાત કહે છે.