Aug 16, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-12-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-12


Gujarati-Ramayan-Rahasya-45-ગુજરાતી-રામાયણ-રહસ્ય-45

દશરથજીએ શ્રીરામનું બાલ-સ્વ-રૂપ જોયું અને આનંદની જાણે ભરતી ચડી.
દશરથજીને તે વખતે જે આનંદ થયો તેનું વર્ણન કરવાની જીભમાં શક્તિ નથી.
તુલસીદાસજી કહે છે કે-જીભ વર્ણન કેમ કરી શકે? એ બોલી શકે છે પણ એણે રામજીના દર્શન ક્યાં કર્યા છે?દર્શન તો નેત્રો એ કર્યા છે.અને તે નેત્રો ને વાચા નથી એટલે તે કેવી રીતે બોલી શકે ?

Aug 15, 2021

Gujarati-Ramayan-Rahasya-44-ગુજરાતી-રામાયણ-રહસ્ય-44

ચતુર્ભુજ નારાયણના દર્શન કરી કૌશલ્યાજી પ્રાર્થના કરે છે,પણ જો કૌશલ્યાજીનો આવો ભાવ કાયમ જ રહે તો બાળલીલા કેવી રીતે થાય? એટલે કૌશલ્યાની બુદ્ધિ બદલાઈ.અને તે બોલ્યાં-કે-“તજહુ તાત યહ રૂપા” હે તાત,આ રૂપ તજી દો ને બાળક બની જાઓ,મને મા-મા કહીને બોલાવો.મારે તો તમને બાળ-સ્વ-રૂપે જોવા છે.અને નારાયણ નું ચતુર્ભુજ સ્વ-રૂપ અદશ્ય થયું,ને ભગવાન બે હાથવાળા બાળક બની ગયા.ને બીજાં બાળકો રડે છે તેમ રડવા લાગ્યા.