Aug 21, 2021

Gujarati-Ramayan-Rahasya-50-ગુજરાતી-રામાયણ-રહસ્ય-50

શ્રીરામ વશિષ્ઠજીને કહે છે કે-મારું મન આ રાજવૈભવમાંથી ઉઠી ગયું છે.આ જીવનનો કોઈ ભરોસો નથી.સંસાર અનિત્ય છે છતાં મનુષ્યને આ સંસારનો મોહ છે.આ શરીર જેવી નકામી કોઈ ચીજ નથી,છેવટે તો તે મોતનો કોળિયો બને છે.
કાળ બહુ ક્રૂર છે,તે કોઈની પર દયા કરતો નથી.મને તો આ સંસારમાં ક્યાંય સુખ દેખાતું નથી.ક્યાં શાંતિ દેખાતી નથી.પિતા-પુત્ર,પતિ-પત્ની,બંધુ-સખા-વગેરે એવો જગતનો સંબંધ કેવળ કાલ્પનિક છે.સાચો સંબંધ ઈશ્વર સાથે છે.અનિત્ય જગને સાચું માનીને મનુષ્ય ફસાયો છે.પણ જીવન ક્ષણમાં ક્યારે પુરુ થઇ જશે તે કહી શકાતું નથી.એટલે બાજી હાથમાંથી જાય તે પહેલા ચેતવાની જરૂર છે.જેને લોકો વિષ કહે છે તે વિષ નથી પણ વિષયો જ વિષ જેવા છે.

Aug 20, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-15


Gujarati-Ramayan-Rahasya-49-ગુજરાતી-રામાયણ-રહસ્ય-49

તે જમાનામાં ગુરૂની વ્યાખ્યા જુદી હતી.ગુરૂ શિષ્યની પાસેથી કશાની અપેક્ષા રાખતો નહોતો.પણ પોતાનું સર્વસ્વ,પોતાની સર્વ વિદ્યા તે શિષ્યને અર્પણ કરતો.તેના કલ્યાણનો બોજો પોતાની માથે લઇ લેતો.ગુરૂ એક પથદર્શક હતો.આજે તો ઠેર ઠેર ગુરૂઓનો સુમાર નથી,આશ્રમોનો સુમાર નથી.લોકો ગુરૂને એક છટકબારી તરીકે મેળવે છે.પોતાને કંઈક જરૂર છે,સંતાન નથી,જિંદગીમાં દુઃખ છે,તો વળી કોઈની ભેંસ ને દુધ નથી આવતું –તો તેવા માટે ગુરૂની પાસે પહોંચી જાય છે.જો કોઈ ગુરૂ તે દુઃખમાંથી મુક્તિ અપાવે,તો ઠીક છે નહિતર બીજા ગુરૂની શોધ ચાલુ થઇ જાય છે.