Sep 19, 2021

Kaak Bhushundi and Garuda-Sanvaad-Gujarati

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-5-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-5


Gujarati-Ramayan-Rahasya-78-ગુજરાતી-રામાયણ-રહસ્ય-78

કૈકેયી હવે કહે છે-કે-“તું જે કહે તે હું કરવા તૈયાર છું.” મંથરા કૈકેયીને ખુબ વહાલી હતી.મંથરાને જયારે ખાતરી થઇ કે કૈકેયી હવે તેને આધીન થઇ છે-એટલે તે કહે છે-કે-“તેં મને કહ્યું હતું કે રાજા દશરથના બે વરદાન તારી પાસે છે-તે માગી લે. એક તો ભરત ને ગાદી અને રામને ૧૪ વર્ષ નો વનવાસ.પણ જો જે પહેલું વનવાસનું માગતી નહિ,નહી તો રાજાનો રામ પરના પ્રેમને લીધે બેભાન થઇ જશે તો ભરતના રાજ્યાભિષેકની વાત રહી જશે.ખૂબ જ અક્કલ ને હોશિયારીથી કામ કરવાનું છે,જરાયે ઉતાવળ કરવાની નથી.અત્યાર સુધી “મારો રામ” કરીને વેવલાઈ બતાવી છે તે હવે કરવાની નથી,અને કાળજું કાઠું કરીને કામ કરવું પડશે.