Sep 27, 2021

Gujarati-Ramayan-Rahasya-85-ગુજરાતી-રામાયણ-રહસ્ય-85









લક્ષ્મણજી મા સુમિત્રા પાસે આવ્યા છે.માતાજીને સંક્ષેપમાં કથા કહી સંભળાવી 
અને કહે છે-કે-મા મને રામજી સાથે વનમાં જવાની આજ્ઞા આપો.
સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજીના 
ચરણમાં છે.રામ-સીતા જ તારાં માતા-પિતા છે. અનન્ય ભાવે રામસીતાજીની સેવા કરજે. 
રામનાં ચરણમાં તારી ભક્તિ જોઈ હું,મને ખૂબ ભાગ્યશાળી સમજુ છું,
જેનો પુત્ર રઘુપતિ રામમાં ભક્તિવાળો છે તે માતા જ સાચે પુત્રવતી છે.
'પુત્રવતી જુબતી જગ સોઈ,રઘુપતિ ભમતુ જાસુ સુતુ હોઈ'

Sep 26, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-10-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-10


Gujarati-Ramayan-Rahasya-84-ગુજરાતી-રામાયણ-રહસ્ય-84

કૌશલ્યા માતાના ચરણમાં પ્રણામ કરીને ત્યાંથી શ્રીરામ ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે,તે જ વખતે સીતાજી ત્યાં આવ્યા છે-સર્વને વંદન કરી ધરતી પર નજર રાખીને ઉભાં છે.રામચંદ્રે સીતાજીને કહ્યું કે-હે જાનકી,પિતાની આજ્ઞાથી હું ચૌદ વર્ષ વનમાં જાઉં છું,તમે તમારું અને મારું ભલું ચાહતા હો તો,મારું વચન માની ઘેર રહો,
જેથી મારાથી પિતાજીની આજ્ઞા પળાશે અને ઘેર તમારાથી સાસુ-સસરાની 
સેવા થશે ,વળી તમે ઘેર રહેશો તો તેમને પણ ઘણો આધાર રહેશે.