Oct 22, 2021

Gujarati-Ramayan-Rahasya-109-ગુજરાતી-રામાયણ-રહસ્ય-109

શ્રીરામે ભરતને આશ્વાસન આપવા અનેક દષ્ટાંતો આપીને કહ્યું કે-ભાઈ,તમે ખોટો 
શોક ના કરો.જીવની ગતિ ઈશ્વરાધીન છે.હું નિશ્ચયપૂર્વક કહું છું કે,ત્રણે ભવનોના
પુણ્યાત્મા લોકો,તમારા કરતાં ઉતરતા છે. હે ભરત,તમારા નામનું સ્મરણ કરતાં સર્વ તાપ,પાપ,અજ્ઞાન અને અમંગલનો નાશ થશે,અને આ લોકમાં તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થશે.વેર અને પ્રેમ ઢાંક્યાં ઢંકાતાં નથી,પારધીને જોતાં જ પશુ પંખીઓ ભાગી જાય છે અને મુનિઓ પાસે તે નિર્ભય થઇ ને ફરે છે.પશુપંખીઓ પણ પ્રેમને ઓળખે છે,તો મનુષ્ય કેમ ઓળખી શકે નહિ? 
હું તમને ઓળખું છું.તેથી તમે જે કહો તે કરવા હું તૈયાર છું.

Oct 21, 2021

Gujarati-Ramayan-Rahasya-108-ગુજરાતી-રામાયણ-રહસ્ય-108

શ્રાદ્ધમાં વસ્તુની નહિ પણ ભાવનાની જરૂર હોય છે.શ્રીરામે ચૌદ વર્ષ દરમ્યાન માત્ર કંદમૂળ અને ફળનું જ સેવન કર્યું હતું,અનાજ અને ધાન્યના દાણાને સ્પર્શ પણ કર્યો નહોતો,તેથી અત્યારે ફળથી જ પિંડદાન કર્યું.વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે-શ્રાદ્ધ માટે ધન-સંપત્તિ કે બીજી કોઈ પણ ચીજ નહિ હોય તો ચાલશે,માત્ર શ્રદ્ધા ભાવે હાથ ઉંચા કરી પિતૃઓનું સ્મરણ કરી કહેવાનું કે-હે પિતૃઓ,હું ભક્તિ પૂર્ણ હૃદયે તમને પ્રણામ કરું છું.મારી ભક્તિથી તમે તૃપ્ત થાઓ.