Jan 28, 2022

YAJUR VED-GUJARATI-યજુર્વેદ

SAM VEDA-GUJARATI-સામવેદ

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૬

લંકા સુધીનો સેતુ (પુલ) બંધાઈ ગયા પછી,શ્રીરામની વિશાળ વાનર-સેના પુલ પર થઈને ચાલવા લાગી.વાનરોના હર્ષનો પાર નથી,બધા રામ-રામ કરતા જાય છે ને નાચતા-કૂદતા પુલ પર ચાલે છે.શ્રીરામ-લક્ષ્મણ, જ્યાં જ્યાં પુલ પર થઈને પસાર થાય છે-ત્યારે સમુદ્રના જળચળ પ્રાણીઓ-માછલાં,પાણીમાંથી બહાર મોં બહાર કાઢે છે,અને એકવાર જુએ છે,એટલે જોઈ જ રહે છે.વાનરો પણ આ જોઈ રહેલા પ્રાણીઓને જોઈને ખુશ થાય છે.