May 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-176

 
અધ્યાય-૧૯૬-વ્યાસનો અભિપ્રાય 

II वैशंपायन उवाच II ततस्ते पाण्डवाः सर्वे पांचाल्यश्च महायशाः I प्रत्युत्थाय महात्मानं कृष्णं सर्वेSभ्यवादयन्  II १ II

વૈશંપાયન બોલ્યા-સર્વ પાંડવોએ તથા મહાયશસ્વી દ્રુપદરાજે તેમજ બીજા સૌએ ઉભા થઈને મહાત્મા કૃષ્ણ દ્વૈપાયનને વંદન કર્યા.તે આદરસત્કારનો સ્વીકાર કરી,ને તેમના કુશળ પૂછીને,તેઓ સોનાના શુદ્ધ આસન પર બિરાજ્યા.અને તેમણે આજ્ઞા આપી એટલે બાકીના સર્વે પોતપોતાના આસન પર બેઠા.થોડીવાર પછી,દ્રુપદે મધુર વાણીમાં,વ્યાસજીને,દ્રૌપદીના સંબંધમાં પૂછ્યું કે-'એક સ્ત્રી અનેક પુરુષની પત્ની કેમ કરીને થઇ શકે?

આમ કરવામાં સંકરતા ન આવે?હે ભગવન,આ વિષે આપ મને બધું યથાવત કહો (1-5)

May 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-175

અધ્યાય-૧૯૪-પાંડવોની પરીક્ષા 


II दूत उवाच II 

जन्यार्थमन्नं द्रुपदेन राज्ञा विवाहहेतोरुप संस्कृतं च I तदाप्नुवध्वं कृतसर्वकार्याः कृष्णां च तत्रैव चिरं न कार्यंम  II १ II

દૂત બોલ્યો-દ્રુપદરાજે,વિવાહને નિમિત્તે જાનૈયાઓ માટે ભોજન તૈયાર કારવ્યું છે,તો સર્વ કાર્ય પતાવી તમે ત્યાં ચાલો.અને ત્યાં જ કૃષ્ણાને પરણો,વિલંબ કરશો નહિ.સુવર્ણકમળના ચિત્રવાળા,સુંદર ઘોડાઓ જોડેલા અને રાજાઓને શોભે,એવા આ રથો છે,એમાં બેસી આપ સૌ પંચાલરાજના ભવને પધારો (1-2)

May 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-174

વૈવાહિક પર્વ 

અધ્યાય-૧૯૩-પાંડવો પાસે પુરોહિતનું આગમન 

II वैशंपायन उवाच II 

तत्तस्थोक्तः परिद्रष्टरुपःपित्रे शशंसाय स राजपुत्रः I धृष्टध्युम्नः सोमकानां प्रवर्हो वृतं यथा येन हृता च कृष्णा  II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રુપદે આ પ્રમાણે કહ્યું,ત્યારે રાજપુત્ર ધૃષ્ટદ્યુમ્ને,પરમ પ્રસન્નતાપૂર્વક,તેના પિતાને,

કૃષ્ણાને કોણ લઇ ગયું અને ત્યાં શું બન્યું હતું તે બધું યથાવત કહ્યું.

ધૃષ્ટદ્યુમ્ન બોલ્યો-અહીં,જે વિશાળ અને લાલ નેત્રવાળા,કાળું મૃગચર્મ ધારણ કરેલા ને દેવ જેવા રૂપાળા,

યુવાનશ્રેષ્ઠે ધનુષ્યની પણછ ચડાવીને નિશાન પાડ્યું હતું,તેણે રાજાઓ સાથે યુદ્ધ કર્યા પછી,બ્રાહ્મણોનો 

સત્કાર પામીને અહીંથી જતો હતો ત્યારે,કૃષ્ણા પણ તેના મૃગચર્મને પકડીને તેની પાછળ ગઈ.

બીજો વિશાળ બ્રાહ્મણ,કે જેણે,રાજાઓને નસાડ્યા હતા,તે પણ તેમની પાછળ જ ગયો.