May 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-182

 
અધ્યાય-૨૦૨-કર્ણે,યુદ્ધ કરવાની સલાહ આપી 

II कर्ण उवाच II दुर्योधन तव प्रज्ञा न सम्यगिति मे मतिः I न उपायेन ते शक्याः पाण्डवाः कुरुवर्धन II १ II

કર્ણ બોલ્યો-હે દુર્યોધન,મારો એવો મત છે કે-તારી સમજ બરાબર મને બરાબર લગતી નથી.પાંડવો આ ઉપાયોથી

અધીન થાય તેમ નથી.કેમ કે પહેલાં પણ આવા ઉપાયોથી તેમને વશ કરવાના પ્રયત્નો થયા હતા.તેઓ અહીં,

તારી સમીપમાં હતા,પક્ષ વિનાના હતા ને બાળક અવસ્થામાં હતા,છતાં,તેમને કોઈ બાધ કરી શકાયો નહોતો.

ને હવે જયારે તેમનો પક્ષ થયો છે,તેઓ વિદેશમાં છે ને સર્વ રીતે વૃદ્ધિ પામ્યા છે,

ત્યારે તે આવા ઉપાયોથી વશ થાય તેમ નથી,એવી મારી અટલ માન્યતા છે.

May 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-181

અધ્યાય-૨૦૧-પાંડવોના વિનાશ માટે દુર્યોધનના વિચાર 

II धृतराष्ट्र उवाच II अहमप्येवमेवैत्च्चिकीर्पामि यथा युवाम् I विवेक्तुं नाहमिच्छामि त्वाकारं विदुरंप्रति II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યો-તમારી જેમ હું પણ એવી જ ઈચ્છા રાખું છું,પણ,વિદુરની આગળ એ ભાવ બતાવી દેવા ઈચ્છતો નથી.મારી ચેષ્ટાઓ પરથી વિદુર મારો મનોભાવ જાણી જાય નહિ,એટલે માટે,હું પાંડવોના ગુણ ગાઉ છું,પણ,

હે દુર્યોધન,આ સમયે તને જે સારું લાગતું હોય,તે વિશેનો તારો વિચાર મને કહે.(1-3)

May 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-180

 
વિદુરાગમન પર્વ 

અધ્યાય-૨૦૦-વિદુરે ધૃતરાષ્ટ્રને પાંડવોના સમાચાર આપ્યા 

II वैशंपायन उवाच II ततो राज्ञां चरैराप्तैः प्रवृत्तिरूपनीयत I पाण्डवैरूपसंपन्ना द्रौपदी पतिभिः शुभा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રાજાઓના પોતપોતાના વિશ્વાસુ દૂતોએ તેમને ખબર પહોંચાડી કે-

'દ્રૌપદી,પાંડવપતિઓને પરણી છે.જેણે ધનુષ્ય ચડાવીને લક્ષ્ય વીંધ્યું હતું,તે જયશીલોમાં શ્રેષ્ઠ મહાન ધનુષધારી અર્જુન હતો,ને જે બળવાને.મદ્રરાજ શલ્યને ઉછાળીને પટકી પાડ્યો હતો ને ક્રોધાવેશમાં આવીને,એક વૃક્ષથી માણસોને ત્રાસ પોકરાવ્યો હતો,ને જેને ભય જેવું કશું પણ નહોતું,તે શત્રુસેનાને પાડનારો ભીમસેન હતો'