Jun 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-197

 
અધ્યાય-૨૨૦-સુભદ્રાહરણ અને બલરામનો ક્રોધ 

II वैशंपायन उवाच II ततः संवादिते तस्मिन्ननुज्ञातो धनंजयः I गतां रैवतके कन्यां विदित्वा जनमेजय II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,અર્જુને યુધિષ્ઠિરની સંમતિ જાણીને અને તે કન્યા રૈવતક પર્વત ગઈ છે,

એમ પણ જયારે તેણે જાણ્યું ત્યારે ,તે શ્રીકૃષ્ણ પાસે ગયો,અને પોતાના ધારેલા કાર્યની યોજના તેમને 

સમજાવી ને તેમની અનુજ્ઞા મેળવી.ને આમ,કૃષ્ણનો મત મેળવીને તેણે પ્રયાણ આદર્યું.(1-2)

May 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-196

 
સુભદ્રાહરણ પર્વ 

અધ્યાય-૨૧૯-અર્જુનને સુભદ્રાનું આકર્ષણ 

II वैशंपायन उवाच II ततः कतिपयाहस्य तस्मिन् रैवतके गिरौ I वृष्णयंधकानमवदुत्सवो नृपसत्तम II १ II

વૈશંપાયન બોલ્યા-હે શ્રેષ્ઠ રાજા,કેટલાક દિવસો પછી,તે રૈવતક પર્વત પર વૃષ્ણીઓ તથા અંધકોનો એક ઉત્સવ થયો.ત્યાં બ્રાહ્મણોને ઘણાં દાન અપાયાં.તે પર્વતની આજુબાજુએ રત્નસુશોભિત અનેક ભવનો ને વૃક્ષો હતાં.

ત્યાં વાદકો,વાજીંત્રો વગાડતા હતા,નર્તકો નૃત્ય કરતા હતા,ને ગાયકો ગાન ગાતા હતા.ઓજસ્વી વૃષ્ણીકુમારો,અલંકારોથી વિભૂષિત થઈને,સુવર્ણ ચિત્રવાળાં વાહનોમાં બેસીને સર્વ બાજુએ ફરતા હતા.

નગરજનો પણ પોતાની સ્ત્રીઓ ને પરિવારો સાથે વાહનોમાં કે પગપાળા ફરી રહ્યા હતા.(1-6)

May 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-195

અધ્યાય-૨૧૮-અર્જુનનું દ્વારકામાં આગમન 

II वैशंपायन उवाच II सोSपरांतेपु तीर्थानि पुण्यान्यायतनानि च I सर्वाण्येवानुपूर्व्येण जगामामितविक्रम II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે અમાપ પરાક્રમી અર્જુન,પશ્ચિમ સમુદ્રને તીરે આવેલાં સર્વ તીર્થો ને પુણ્યસ્થાનોમાં ક્રમપૂર્વક ફરતાં ફરતાં તે પ્રભાસતીર્થે આવ્યો.મધુસુદન શ્રીકૃષ્ણે,જયારે સાંભળ્યું કે-અર્જુન પ્રભાસતીર્થ આવ્યો છે ત્યારે તે અર્જુનને મળવા આવ્યા ને અર્જુનને મળીને,ભેટીને પરસ્પર કુશળ પૂછીને,તે બે મિત્રો તે વનમાં બેઠા.

વાસુદેવે અર્જુનને,તેના પ્રવાસનું કારણ પૂછ્યું ત્યારે અર્જુને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો.

તે સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'તેં કર્યું તે બરાબર જ છે ને એમ જ થવું જોઈએ' (1-7)