અધ્યાય-૬૭-સભા વચ્ચે દ્રૌપદી
II वैशंपायन उवाच II धिगस्तु क्षत्तारमिति ब्रुवाणो दर्पेण मत्तो धृतराष्ट्र पुत्र I
अवैक्षत प्रतिकामीं सभाया मुवाच चैनं परमार्यमध्ये II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,મદથી છકી ગયેલા,ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને,વિદુરને 'ધિક્કાર હો' એમ કહ્યું અને સભામાં બેઠેલા પ્રાતિકામી નામે સારથી સામે જોઈને,તે આર્યોની સભાની મધ્યમાં તેને કહેવા લાગ્યો કે-
'હે પ્રાતિકામી,તું દ્રૌપદીને અહીં લઇ આવ,તને પાંડવોનો ભય નથી,આ દાસીપુત્ર ડરી ગયો છે,
એટલે અવળી વાતો બોલે છે,કેમ કે તે અમારી ચડતી થાય એમ કદી ઈચ્છતો નથી' (2)
