Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Sep 14, 2021
Gujarati-Ramayan-Rahasya-73-ગુજરાતી-રામાયણ-રહસ્ય-73
એક દિવસ દશરથરાજા સભામાં જવા માટે તૈયાર થતા હતા ,તે વખતે નોકરોએ નિયમ મુજબ દર્પણ લાવી રાજાની સામે ધર્યું.રાજાએ દર્પણમાં જોયું,મુગટ જરા વાંકો હતો તે સરખો કર્યો,પણ આજે એક નવી વાત બની.રાજાની નજર કાનના એક સફેદ વાળ તરફ પડી.અને તેમને એકાએક પોતાની ઉંમર નું ભાન થયું ને વિચારવા માંડ્યા કે-આ ધોળો વાળ મને કહે છે કે-હવે તમે વૃદ્ધ થયા,ક્યાં સુધી ગાદી પર ચીટકી રહેશો?હવે તમે ત્યાં શોભતા નથી, માટે ઉઠો, ને રામને ત્યાં રાજગાદીએ બેસાડો.
Sep 13, 2021
Gujarati-Ramayan-Rahasya-72-ગુજરાતી-રામાયણ-રહસ્ય-72
મનુષ્ય સંસારમાં સુખની પાછળ દોટ મૂકે છે,પણ જેમ મુઠ્ઠીમાં પાણી રહી શકે નહિ,તેમ સંસારનું સુખ હાથમાં રહી શકે નહિ.દશરથ રાજા જેવા સુખને સતત રાખી શક્યા નહિ તો સાધારણ માણસનું શું ગજું?
શાસ્ત્રો કહે છે કે-સંસારમાં સુખ-દુઃખ દેખાય છે તે અજ્ઞાનનું પરિણામ છે.સુખ સાચું નથી તેમ દુઃખ પણ સાચું નથી.બેય સરખાં છે,બેય એક છે,અને બેય ખોટાં છે.સુખ –દુઃખ એ કેવળ મનની કલ્પના છે,આત્માને એ સ્પર્શ કરી શકતાં નથી.
આત્મા નિર્લેપ છે,પર છે.એ આત્માને કોઈ આકાર નથી,,તે અમૂર્ત (નિરાકાર) અને પૂર્ણ છે.દ્રષ્ટા છે.
શાસ્ત્રો કહે છે કે-સંસારમાં સુખ-દુઃખ દેખાય છે તે અજ્ઞાનનું પરિણામ છે.સુખ સાચું નથી તેમ દુઃખ પણ સાચું નથી.બેય સરખાં છે,બેય એક છે,અને બેય ખોટાં છે.સુખ –દુઃખ એ કેવળ મનની કલ્પના છે,આત્માને એ સ્પર્શ કરી શકતાં નથી.
આત્મા નિર્લેપ છે,પર છે.એ આત્માને કોઈ આકાર નથી,,તે અમૂર્ત (નિરાકાર) અને પૂર્ણ છે.દ્રષ્ટા છે.
પણ જીવ પોતાનું સ્વ-રૂપ ભૂલ્યો છે,એની જ બધી રામાયણ છે.
Sep 12, 2021
Gujarati-Ramayan-Rahasya-71-ગુજરાતી-રામાયણ-રહસ્ય-71-અયોધ્યા કાંડ
અયોધ્યા કાંડ
દશરથરાજાના સર્વે કુંવરોના લગ્ન થઇ ગયા.અને કુંવરો હવે રાજકાજમાં મદદ કરે છે.રાજાના સુખનો કોઈ પર નથી.શ્રીરામ પ્રજાને સર્વ રીતે સંતુષ્ટ રાખે છે.શાસ્ત્રમાં લખ્યું છે કે પિતાએ સહુ આગળ,જીતવાની ઈચ્છા રાખવી પણ પુત્ર આગળ હારવાની ઈચ્છા કરવી.કહેવા એમ માગે છે કે બાપ કરતાં બેટો સવાયો થાય,દોઢો થાય.(દોઢ ડાહ્યો નહિ)તેવી ઈચ્છા રાખવી.બાપ કરતાં દીકરો ધર્મ-કાર્ય,શુભ-કાર્યોમાં આગળ વધે,સારા કર્મોમાં પોતાના કરતાં ચડિયાતી કીર્તિ પ્રાપ્ત કરે એવી બાપે ઈચ્છા રાખવી.અને એવી રીતે દીકરાને ઘડવો.તે જવાબદારી મા-બાપની છે.
દશરથરાજાના સર્વે કુંવરોના લગ્ન થઇ ગયા.અને કુંવરો હવે રાજકાજમાં મદદ કરે છે.રાજાના સુખનો કોઈ પર નથી.શ્રીરામ પ્રજાને સર્વ રીતે સંતુષ્ટ રાખે છે.શાસ્ત્રમાં લખ્યું છે કે પિતાએ સહુ આગળ,જીતવાની ઈચ્છા રાખવી પણ પુત્ર આગળ હારવાની ઈચ્છા કરવી.કહેવા એમ માગે છે કે બાપ કરતાં બેટો સવાયો થાય,દોઢો થાય.(દોઢ ડાહ્યો નહિ)તેવી ઈચ્છા રાખવી.બાપ કરતાં દીકરો ધર્મ-કાર્ય,શુભ-કાર્યોમાં આગળ વધે,સારા કર્મોમાં પોતાના કરતાં ચડિયાતી કીર્તિ પ્રાપ્ત કરે એવી બાપે ઈચ્છા રાખવી.અને એવી રીતે દીકરાને ઘડવો.તે જવાબદારી મા-બાપની છે.
Subscribe to:
Comments (Atom)


