Sep 23, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-7


Gujarati-Ramayan-Rahasya-82-ગુજરાતી-રામાયણ-રહસ્ય-82

રામજી કૈકેયીને વંદન કરી ને કહે છે-મા- મારો ભરત રાજા થાય તે સાંભળી 
મને આનંદ થાય છે.તમારો મારા પર ભરત કરતાં પણ અધિક પ્રેમ છે. 
મને ઋષિ-મુનિઓનો સત્સંગ થાય-અને મારું કલ્યાણ થાય –તે માટે તમે વનમાં મોકલો છો-
તેનાથી વધુ સારું શું ? મા,મને વનવાસ આપવામાં પણ તમે મારા 
સુખનો જ વિચાર કર્યો છે,વળી આ તો પિતાજીની આજ્ઞા છે તે આજ્ઞા 
પાળવામાં મારું સર્વ પ્રકારે કલ્યાણ થશે.અને વળી મારો પ્રાણપ્રિય ભરત રાજા થશે.

Sep 22, 2021

Gujarati-Ramayan-Rahasya-81-ગુજરાતી-રામાયણ-રહસ્ય-81

ત્યારે યાજ્ઞવલ્કય ઋષિએ કહ્યું કે-ના,ધનથી મોક્ષ નહિ મળે,અમરત્વ નહિ મળે,
પણ તમે સુખ-સગવડથી આનંદથી જીવી શકશો. મૈત્રેયી કહે છે-જે ધનથી મોક્ષ ના મળે 
તે ધનને લઇ હું શું કરું? પછી યાજ્ઞવલ્કયે મૈત્રેયીને જિજ્ઞાસુ જાણી,તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો.
મોક્ષનાં સાધનો કહ્યાં.યાજ્ઞવલ્કયનો મૈત્રેયીને આપેલો એ ઉપદેશ અમર થઇ ગયો.

Sep 21, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-6


Gujarati-Ramayan-Rahasya-80-ગુજરાતી-રામાયણ-રહસ્ય-80

તુલસીદાસજી કહે છે કે-કૈકેયી મંથરાના સ્વભાવને ઓળખતી હતી.સાચું-જુઠું કરવું,પારકાની બદબોઈ કરવી, કોઈની પીઠ પાછળ વાંકુ બોલવાની મંથરાને આદત હતી.એટલે તેનું નામ તેણે ”ઘરફોડી” રાખ્યું હતું.આવું જાણવા છતાં કૈકેયીએ,તે મંથરાને પોતાના ઘરમાંથી રવાના ના કરતાં,ઘરમાં રહેવા દીધી,અને એ “ઘરફોડી” એ તેનું જ ઘર ફોડ્યું.અને કૈકેયીને દુનિયામાં પારાવાર અપજશ મળ્યો.કૈકેયી સાધારણ સ્ત્રી નહોતી.દશરથ તેના રૂપ પર જ મુગ્ધ હતા તેવું નહોતું,યુદ્ધવિદ્યામાં તે પ્રવીણ હતી.પતિની સાથે યુદ્ધ-મોરચે પણ તે જતી. એની બુદ્ધિ તીક્ષ્ણ હતી.પણ કુસંગ કોનું નામ? પાણીમાં આગ લગાડે તે કુસંગ.