થાય છે.વૃદ્ધાવસ્થામાં આ લૂલી (જીભ) બહુ પજવે છે.માટે હજી શરીર સારું છે
ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે,ત્યાં સુધી માં પ્રભુ ને રાજી કરવામાં આવે તો
બેડો પાર છે.મરણ પથારીમાં પડ્યા પછી જેની પાછળ પૈસાનું પાણી કર્યું હશે
તે જ લોકો,ડોસો ક્યારે મરે તેવી ઈચ્છા રાખે છે.ભાગવતમાં સગાંઓને
શિયાળ-કૂતરાં જેવાં કહ્યા છે.છેવટે ડોસો એકલો જ રડતો,રડતો જાય છે.
તે જાણે છે કે કોઈ સાથે નહિ આવે,એકલાએ જ જવું પડશે,છતાં વિવેક રહેતો નથી.


