Oct 26, 2021

Gujarati-Ramayan-Rahasya-111-ગુજરાતી-રામાયણ-રહસ્ય-111

શ્રીરામચંદ્રે સુવર્ણ પાદુકાઓ પર પોતાના ચરણ મુક્યા,ને પછી તે પાદુકાઓ ભરતજીને આપી.ભરતજીએ તે પોતાના બે હાથેથી લઈને પોતાના મસ્તક પર ચડાવીને,તેનો  સ્વીકાર કર્યો.તેમણે શાંત અને દૃઢ સ્વરે પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે-હું ભરત,આજે અહીં પ્રતિજ્ઞા કરું છું કે,આ પાદુકાઓને રાજ-કારભાર સોંપી ,હું ચૌદ વર્ષ નગરની બહાર રહીશ,જટા-વલ્કલ ધારણ કરીશ,કંદમૂળ ખાઈશ,ભોંય પર પથારી કરીશ,અને પંદરમા વર્ષના પહેલા દિવસે જો મને રામજીનાં દર્શન નહિ થાય તો ચિતામાં પ્રવેશ કરીશ. 
આ સાંભળીને સૌની આંખો છલકાઈ આવી,બધા “ધન્ય હો,ધન્ય હો” બોલી રહ્યા.

Oct 25, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-8-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-8


Gujarati-Ramayan-Rahasya-110-ગુજરાતી-રામાયણ-રહસ્ય-110

બીજે દિવસે,જનકજીએ ભરતને કહ્યું કે-શ્રીરામનો સ્વભાવ તમે જાણો છે,તેઓ સત્યવ્રત અને ધર્મનિષ્ઠ છે,બધું તે એકલા એકલા જ મનમાં સહન કરી રહ્યા છે,હવે તો તમે કહો તેમ થાય.ત્યારે ભરત કહે છે કે-હું તો કેવળ સેવક છું,સેવા-ધર્મ મહા-કઠિન છે,સ્વામીની સેવા અને સ્વાર્થની સેવા એક સાથે થઇ શકે નહિ.હું સ્વાર્થવશ થઇને કે પ્રેમવશ થઈને કંઈ કહું તો બંનેમાં ભૂલ થવા સંભવ છે.માટે. રામજીની ઈચ્છા અને તેમના ધર્મ અને સત્યવ્રત સાચવીને સર્વનું હિત થાય તેમ તમે જ કંઈક કરો.

Oct 22, 2021

Gujarati-Ramayan-Rahasya-109-ગુજરાતી-રામાયણ-રહસ્ય-109

શ્રીરામે ભરતને આશ્વાસન આપવા અનેક દષ્ટાંતો આપીને કહ્યું કે-ભાઈ,તમે ખોટો 
શોક ના કરો.જીવની ગતિ ઈશ્વરાધીન છે.હું નિશ્ચયપૂર્વક કહું છું કે,ત્રણે ભવનોના
પુણ્યાત્મા લોકો,તમારા કરતાં ઉતરતા છે. હે ભરત,તમારા નામનું સ્મરણ કરતાં સર્વ તાપ,પાપ,અજ્ઞાન અને અમંગલનો નાશ થશે,અને આ લોકમાં તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થશે.વેર અને પ્રેમ ઢાંક્યાં ઢંકાતાં નથી,પારધીને જોતાં જ પશુ પંખીઓ ભાગી જાય છે અને મુનિઓ પાસે તે નિર્ભય થઇ ને ફરે છે.પશુપંખીઓ પણ પ્રેમને ઓળખે છે,તો મનુષ્ય કેમ ઓળખી શકે નહિ? 
હું તમને ઓળખું છું.તેથી તમે જે કહો તે કરવા હું તૈયાર છું.