Dec 31, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૪

તુલસીદાસજી કહે છે કે-શરીર એ ઘર છે,મુખ એ બારણું છે,અને જીભ એ ઉમરો છે.
જેમ,ઉમરા પર દીવો મુકવામાં આવે તો ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ અજવાળું 
કરે છે,તેમ,જીભ-રૂપી ઉમરા પર રામનામનો દીવો મુકવાથી,પુરુ શરીર પ્રકાશથી ઝળહળી ઉઠશે.નામ-જપથી જીવનો અંધકાર દૂર થશે.માટે જીભને રામનામથી પ્રકાશિત કરો.

Dec 30, 2021

Dongreji Maharaj-Life-Hindi Book-डोंगरेजी महाराज-जीवन-हिंदी बुक


Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-018


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૩

શ્રીરામ એ સૌ વાનરોને એક સાથે મળ્યા.ને પછી,એક એક વાનરને મળી તેમનું કુશળ પૂછ્યું.
તુલસીદાસજી કહે છે કે-પ્રભુની આ કંઈ મોટાઈ નથી,આ તો તેમનો સ્વભાવ છે.પ્રભુ સર્વ-વ્યાપક છે.વિશ્વ-રૂપ છે, 'યહ કછુ નહિં પ્રભુ અધિકાઈ,બિસ્વરૂપ બ્યાપક રઘુરાઈ.'
વાનરોની સભા એકઠી થઇ અને સુગ્રીવે,એક વાત સૌને સમજાવી દીધી કે-ચારે બાજુ જાઓ,
રાવણનાં ખાનગી નિવાસસ્થાનો ખોળી કાઢો,ને સીતાજીને ગમે ત્યાં રાખ્યાં હોય,તેની શોધ કરો,એક મહિનાની મુદત આપું છું,ભુલતા નહિ કે આ રામજીનું કામ છે.