હવે લક્ષ્મણજી મેઘનાદની સામે યુદ્ધ કરવા આવી ગયા.લક્ષ્મણજીએ બાણોનો મારો કરીને મેઘનાદને અધમૂઓ કરી નાખ્યો.મેઘનાદને બીક લાગી કે- હવે હું મરવાનો...એટલે,એણે સર્પના જેવી ઝેરી-શક્તિનો લક્ષ્મણજીની છાતીમાં પ્રહાર કર્યો,અને લક્ષ્મણજી મૂર્છા ખાઈને પડ્યા.મેઘનાદે વિચાર કર્યો કે -આને ઉપાડી જઈને કેદ કરું.તે લક્ષ્મણજીને ઉપાડવા આવ્યો,પણ તેનાથી તે ઉપડાયા નહિ,બીજા અનેક રાક્ષસો ભેગા થઈને ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તે સર્વે નિષ્ફળ રહ્યા.
Feb 9, 2022
Feb 8, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૩
રામજીની પાસે જતાં જ લક્ષ્મણજીના દેહમાંથી રાવણે મારેલી શક્તિની અસર નીકળી ગઈ.
અને લક્ષ્મણજી ભાનમાં આવી ગયા.રાવણની સામે હવે રામજી યુદ્ધે ચડ્યા.
શ્રીરામ પાસે તો કોઈ વાહન નહોતું,તેઓ પગે ચાલીને ઉઘાડા પગે રાવણની સામે જતા હતા,
શ્રીરામ પાસે તો કોઈ વાહન નહોતું,તેઓ પગે ચાલીને ઉઘાડા પગે રાવણની સામે જતા હતા,
તે જોઈ હનુમાનજીએ કહ્યું કે-રથમાં બેઠેલા રાવણની સામે તમે પગે ચાલીને જાઓ તે ઠીક નથી,વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસીને જાય તેમ આપ મારા ખભે બિરાજો.
Feb 7, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૨
તે પછી તો યુદ્ધના વ્યૂહ નક્કી થયા, અને છેવટે,”રામજીનો જય હો” ના પોકાર સાથે,વાનરો અને રીંછોએ,લંકાના ચારે દરવાજાઓ પર એક સાથે આક્રમણ કર્યું.
તેમની પાસે અસ્ત્ર-શસ્ત્ર નથી,પણ શિલાઓ અને વૃક્ષો ઉખાડીને લડે છે.ને મુખેથી જ વિચિત્ર અવાજો કરીને રણભેરી વગાડે છે.સામે રાવણે પોતાની સેના સામે મોકલી કહ્યું કે-જાઓ ઘેર બેઠાં વાનરોનું ભોજન આવ્યું છે,તેમણે પકડી પકડીને ખાઓ.રાવણ હજુ પણ,અહમમાં પોતાને જ કર્તા-હર્તા સમજે છે.
તેમની પાસે અસ્ત્ર-શસ્ત્ર નથી,પણ શિલાઓ અને વૃક્ષો ઉખાડીને લડે છે.ને મુખેથી જ વિચિત્ર અવાજો કરીને રણભેરી વગાડે છે.સામે રાવણે પોતાની સેના સામે મોકલી કહ્યું કે-જાઓ ઘેર બેઠાં વાનરોનું ભોજન આવ્યું છે,તેમણે પકડી પકડીને ખાઓ.રાવણ હજુ પણ,અહમમાં પોતાને જ કર્તા-હર્તા સમજે છે.
Feb 4, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૧
તેના પર દયા કર્યા વિના એ કેમ રહે? તેમણે હસીને સારણને કહ્યું કે-જે જોવા આવ્યા હતા,
તે જોઈ લીધું હોય તો જાવ,અને હજુ જો જોવા તપાસવાનું કંઈ બાકી હોય તો,ખુશીથી જુઓ,
હું વિભીષણને આજ્ઞા કરું છું કે જે તમને મારી આખી સેના બતાવશે.
દુશ્મનથી પણ જેમને કશું છુપાવવાનું નથી,એમનું નામ શ્રીરામ.
દુશ્મનથી પણ જેમને કશું છુપાવવાનું નથી,એમનું નામ શ્રીરામ.
Feb 3, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૦
ને વજ્રને તણખલું બનાવે છે,તે એમના દૂત (અંગદ) ની પ્રતિજ્ઞા કેમ ખોટી પડવા દે?
અંગદે,વાણીથી,બળથી,ભયથી-વગેરે અનેક રીતે રાવણને સમજાવ્યો,પણ રાવણ સમજ્યો નહિ,
અંગદે,વાણીથી,બળથી,ભયથી-વગેરે અનેક રીતે રાવણને સમજાવ્યો,પણ રાવણ સમજ્યો નહિ,
ત્યારે તેણે રાવણને કહ્યું કે-“રણક્ષેત્રમાં તને રમાડી રમાડીને મારું નહિ તો મારું નામ અંગદ નહીં” આમ કહી એ પાછો ફરી ગયો,ને રાવણ અને તેના યોદ્ધાઓ તેને જોતા જ રહી ગયા....
Subscribe to:
Comments (Atom)
