Sep 20, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-08

 

ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद दैन्यप्रियत्वाच्च ।। २७ ।।

ઈશ્વરને પણ અભિમાન (વાળાઓ) પ્રત્યે દ્વેષભાવ છે અને દીનતા પ્રત્યે પ્રેમભાવ છે (૨૭)


વાસ્તવમાં તો ઈશ્વર પ્રેમથી પૂર્ણ છે,તે ઈશ્વરને દ્વેષભાવ  કે પ્રેમભાવ હોઈ શકે જ નહિ.

પણ જેમ,વરસાદનું પાણી પર્વત પરથી ઉતરીને ખાડામાં આવી સમાઈ જાય છે,ત્યારે એમ કહી શકાય નહિ કે 

પાણીને ખાડા પ્રત્યે પ્રેમભાવ છે ને પર્વત તરફ દ્વેષભાવ.તેમ,મનુષ્યમાં જો પોતાનો અહંભાવ ન હોય એટલે કે જો 'પોતે જ છે' એવો અહં ન હોય  કે પછી પોતે જો ખાલી છે એવો દીનતા ભાવ હોય તો ઈશ્વર આવી તેનામાં સમાઈ જાય છે,મનુષ્ય જો પોતે જ સિંહાસન પર બેઠો હોય તો ઈશ્વર આવી ક્યાં બેસી શકે?

Sep 19, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-07

 

तत्रापि न माहात्म्यज्ञानविस्मृत्यपवादः।। २२ ।।

એ (વ્યાકુળતાની) અવસ્થામાં પણ (ગોપીઓમાં) માહાત્મ્ય-જ્ઞાનની વિસ્મૃતિ નહોતી (૨૨)


ગોપીઓ પ્રભુના પ્રેમમાં પાગલ (દિવાની) બની હતી,પ્રેમમાં બેહોશ થતી હતી,પણ એક ક્ષણ પણ તે ભૂલી નહોતી કે શ્રીકૃષ્ણ એ ભગવાન છે.શ્રીકૃષ્ણ જોડે એ લડે છે,ઝગડે છે,તેમનાથી રૂઠી પણ જાય છે,છતાં પણ તેને,

સતત વ્યાકુળતામાં પણ,'શ્રીકૃષ્ણ એ પરમાત્મા છે' એનું ભાન (જ્ઞાન) છે.એ વાત તે કદી ભૂલી નહોતી.

Sep 16, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-06

 

कथादिष्विति गर्गः ।। १७ ।।

શ્રી ગર્ગાચાર્યના મત પ્રમાણે-ભગવાનની કથા-વગેરેમાં અનુરાગ હોવો તે ભક્તિ છે (૧૭)


આગળ કહેલી,સેવા-પૂજામાં તો ક્રિયા છે,આરતી-આદિ ક્રિયાઓ કરવાની છે,પણ કથામાં તો કોઈ કહે ને આપણે તે સાંભળવાની છે.અહીં,પણ કથા માત્ર ઔપચારિકતાથી સાંભળવાની નથી,તેમાં રસ લેવાનો છે,તે કથામાં ડૂબવાનું છે-હૃદયથી તેને સમજવાનો ને અત્યંત પ્રેમથી તે કથાનો મર્મ સમજવાનો જરૂરી છે.

કથામાં જયારે કથા સાથે પ્રેમ થાય તો તે પણ એક ભક્તિ બને છે એમ ગર્ગાચાર્ય કહે છે.

જયારે ઈશ્વરની કથામાં અનુરાગ થાય ત્યારે સંસારની કથામાંથી અનુરાગ જતો રહે છે.

Sep 15, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-05

 

लोके वेदेषु तद्नुकूलाचरणं   तद्विरोधिषूदासीनता ।। ११ ।।

લૌકિક અને વેદિક કર્મોમાં -તે (ઈશ્વર) ને અનુકૂળ કર્મો કરવાં  એ (કર્મો) જ 

તેના પ્રતિકૂળ કર્મો (એટલે કે વિષયો)પ્રત્યેની ઉદાસીનતા છે (૧૧)


પરમાત્મા સાથે આવી જ્યાં અનન્યતા થઇ,પરમાત્માના એક-તારા સાથે જેનો તાર મળી ગયો,

અને જેવી તે પરમાત્મા સાથે તન્મયતા થઇ,કે પછી તે ભક્ત,પરમાત્માને અનુકૂળ કર્મો કરે છે,

એટલે કે તે (પરમાત્મા) જે કરાવે તે જ કરે છે.તેનો પોતાનો કરતા-ભાવ જતો રહે છે ને 

તે કહી ઉઠે છે કે-'હવે તો તે તેની મરજી મુજબ જે કરાવે,તે જ હું કરું છું,

અને તે જેવો નાચ નચાવે તેવો જ હું નાચ કરું છું ને હવે મારા જીવનમાં એ જ કર્મ બાકી રહ્યું છે !'

તે ભક્ત માટે હવે પોતાની તરફથી કોઈ નિર્ણય લેવાનો કે વિચાર કરવાની સંભાવના રહેતી નથી.

કે જેથી સંસારના (ને વિષયોના) કર્મો તરફ તે આપોઆપ ઉદાસીન (કે ત્યાગી) થઇ જાય છે 

Sep 13, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-04

 

सा न कामयमाना निरोधरूपत्वात्।७।।

તે ભક્તિ કામનાઓથી યુક્ત નથી કારણકે તે નિરોધ-સ્વરૂપા છે (૭)


આ સંસાર કામનાઓ (ઈચ્છાઓ)થી ભરેલો છે.જે મનુષ્ય જયારે,આ સંસારના મિથ્યા-તત્વને સમજી શકે છે,ત્યારે તેનો સંસાર છૂટી જાય છે (એટલે કે તે સંસારનો નિરોધ થઇ જાય છે-તેને સંસારનો નિરોધ કરવો પડતો નથી)

પણ,ભક્તિ એ પ્રેમ-રૂપ હોવાથી,જેમ,પ્રેમમાં કશું લેવાની નહિ પણ સમસ્ત આપવાની જ ઈચ્છા હોય છે,

તેમ,ભક્તિ કોઈ કામનાઓથી યુક્ત નથી.ભક્તિ (પ્રેમ) આવે ત્યારે કામનાઓ (ઈચ્છાઓ) આપોઆપ જ છૂટી જાય છે.એટલે અહીં એમ કહ્યું છે કે-ભક્તિનું આ (કામનાઓથી છૂટી જવું-કે) નિરોધ-સ્વરૂપ પણ છે.