અધ્યાય-૨-સમંતપંચકનું વર્ણન,અક્ષૌહિણીની ગણના,પર્વસૂચિ ને મહાભારતની પ્રશંસા
II ऋषयः उचुः II
समन्तपन्चकमिति यदुक्तं सूतनन्दन II एतत्सर्व यथातत्वं श्रोतुमिच्छामये वयम् II १ II
ઋષિઓ બોલ્યા-હે સૂતનંદન (સૂતજી) તમે જે સમંતપંચક દેશનું નામ કહ્યું,તે વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ.
સૂતજી બોલ્યા-ત્રેતા અને દ્વાપર યુગના સંધિકાળમાં,પરશુરામે ક્રોધથી પ્રેરાઈને,વારંવાર ક્ષત્રિયકુળોનો નાશ કર્યો હતો,અને તે ક્ષત્રિયોનો સંહાર કરીને,તેમનાં લોહીનાં પાંચ સરોવરો,સમંતપંચકમાં કર્યાં હતાં.અને તે લોહીથી તેમણે પિતૃઓનું તર્પણ કર્યું હતું,ત્યારે ઋચિક-આદિ નામના પિતૃઓએ ત્યાં આવી પરશુરામને કહ્યું કે-હે રામ,અમે તારી આ પિતૃભક્તિથી અને તારા પરાક્રમથી અતિ પ્રસન્ન થયા છીએ,તું વરદાન માગી લે.(1-7)