અધ્યાય-૪૩-પરીક્ષિત રાજાને તક્ષકડંશ
II तक्षक उवाच II यदि दष्टं मयेह त्वं शक्तः किंचिच्चिकित्सितुम् I ततो वृक्षं मया दष्टमिमं जीवय काश्यप II १ II
તક્ષક બોલ્યો-હે કાશ્યપ,હું જેને કરડું છું,તેને તું નિર્વિષ કરી શકતો હોય,તો હું આ ઝાડને ડસું છું,તો તેને,
તારી જે પણ,મંત્રશક્તિ હોય તેનાથી તેને સજીવન કર. કશ્યપે કહ્યું કે-'ભલે તેમ' (1-3)
સૂતજી બોલ્યા-પછી,તક્ષક નાગ,ઝાડને ડસ્યો,ને તે ઝાડ તરત જ ભડભડીને સળગી ગયું,
ત્યારે તક્ષકે કાશ્યપને કહ્યું કે-હવે તમે આ ઝાડને,ફરીથી સજીવન કરો.(4-6)