
અધ્યાય-૭૦-કણ્વ-ઋષિના આશ્રમમાં દુષ્યંત
II वैशंपायन उवाच II ततो मृगसहस्त्राणि हत्वा सबलवाहनःI राज मृगप्रसंगेन वनमन्यद्विवेश ह II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,હજારો મૃગોને મારીને,રાજાએ,પોતાના લશ્કર અને વાહનો સાથે,બીજા વનમાં પ્રવેશ કર્યો.
ભૂખ્યો ને તરસ્યો તે વનના છેડા સુધી પહોંચ્યો,તો ત્યાં મહાન શૂન્ય પ્રદેશ આવ્યો.ત્યાંથી પણ આગળ વધીને તે બીજા એક મહાવનમાં પ્રવેશ્યો,કે જે વન,ઉત્તમ આશ્રમોથી યુક્ત,મન તથા નેત્રને આનંદ આપનારું,શીતળ વાયુથી સંયુક્ત,ફુલવાળા વૃક્ષોથી ભરપૂર,હરિયાળા ઘાસથી છવાયેલું,અને પંખીઓ ને ભમરાઓના નાદવાળું હતું (1-6)



