અધ્યાય-૧૨૭-પાંડુ તથા માદ્રીની ઉત્તરક્રિયા
II धृतराष्ट्र उवाच II पाण्डोर्विदुर सर्वाणि प्रेतकार्याणि कारय I राजयद्राजसिन्हस्य माद्रयाश्वैव विशेषतः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,રાજસિંહ પાંડુની તેમ જ માદ્રીની,સર્વ પ્રેતક્રિયાઓ,ખાસ રાજવિધિએ ઠરાવો.
ને આ નિમિત્તે,જેમને,જેટલાં જોઈએ તેટલાં પશુઓ,વસ્ત્રો,રત્નો ને વિવિધ ધનનું દાન કરો.વળી,
કુંતી કહે તે રીતે માદ્રીનો (માદ્રીના અવશેષોનો) એવો સત્કાર કરો કે-સુંદર ઓઢણ પામેલા
તે અવશેષોને વાયુ કે સૂર્ય પણ જોઈ શકે નહિ.નિર્દોષ પાંડુ,સ્તુતિપાત્ર છે,શોક કરવા યોગ્ય નથી,
કેમ કે તેને દેવના જેવા પાંચ વીર પુત્રો જન્મ્યા છે.(1-4)