અધ્યાય-૧૪૯-પાંડવોએ ગંગા પર કરી
II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले तु यथा संप्रत्ययं कविः I विदुरः प्रेषयामास तद्वनं पुरुषं शुचिम् II १ II
વૈશંપાયન બોલ્યા-તે વખતે,કવિ વિદુરે,મોકલેલો વિશ્વાસપાત્ર માણસ ત્યાં વનમાં આવ્યો,ને તેણે,પાંડવોને,માતા સાથે નદીના જળનું માપ કાઢતા જોયા.તેણે પાંડવોને એક નાવ બતાવી,કે જે મન અને પવનની ગતિએ જનાર હતી,સર્વ વાયુઓ (પવન) સામે ટક્કર ઝીલે તેવી હતી,ને યંત્ર તથા ઝંડાથી સજેલી હતી.
અને તે નાવને ખાતરીલાયક વિશ્વાસુ માણસોએ ગંગાતટે જ બનાવી હતી (1-5)




