II कर्ण उवाच II दुर्योधन तव प्रज्ञा न सम्यगिति मे मतिः I न उपायेन ते शक्याः पाण्डवाः कुरुवर्धन II १ II
કર્ણ બોલ્યો-હે દુર્યોધન,મારો એવો મત છે કે-તારી સમજ બરાબર મને બરાબર લગતી નથી.પાંડવો આ ઉપાયોથી
અધીન થાય તેમ નથી.કેમ કે પહેલાં પણ આવા ઉપાયોથી તેમને વશ કરવાના પ્રયત્નો થયા હતા.તેઓ અહીં,
તારી સમીપમાં હતા,પક્ષ વિનાના હતા ને બાળક અવસ્થામાં હતા,છતાં,તેમને કોઈ બાધ કરી શકાયો નહોતો.
ને હવે જયારે તેમનો પક્ષ થયો છે,તેઓ વિદેશમાં છે ને સર્વ રીતે વૃદ્ધિ પામ્યા છે,
ત્યારે તે આવા ઉપાયોથી વશ થાય તેમ નથી,એવી મારી અટલ માન્યતા છે.