May 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-193

 
અધ્યાય-૨૧૫-અર્જુનનાં ચિત્રાંગદા સાથે લગ્ન 

II वैशंपायन उवाच II कथयित्वा च तत्सर्वं ब्राह्मणेभ्य: स भारत I प्रपयौ हिमवत्पार्श्वं ततो वज्रधरात्मजः II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુને તે બધી વાત બ્રાહ્મણોને કહી સંભળાવી અને પછી,ત્યાં અગસ્ત્ય વટ આગળ જઈને વસિષ્ઠ પર્વત પર ગયો ને ભૃગુતુંગ (તુંગનાથ)માં જઈ પહોંચ્યો.હિરણ્યતીર્થમાં સ્નાન કરીને,તેણે અનેક પુણ્યસ્થાનોનાં દર્શન કર્યા ને પછી બ્રાહ્મણોની સાથે તે ,એ સ્થાનોમાંથી નીચે ઉતરી પૂર્વ તરફ ચાલ્યો.

ને તેણે નૈમિષારણ્ય તરફ વહેતી ઉત્પલીની,નંદા,અપરનંદા,યશસ્વિની,કૌશિકી.મહાનદી-આદિનાં દર્શન કર્યા.

આમ સર્વ તીર્થો તથા આશ્રમોના દર્શન કરીને તેણે બ્રાહ્મણોને ગાયોનું દાન આપ્યું.(1-8)

May 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-192

અધ્યાય-૨૧૪-અર્જુન અને ઉલૂપીનો મેળાપ 


II वैशंपायन उवाच II तं प्रयान्तं महाबाहु कौरवाणां यशस्करं I अनुजग्मुर्महात्मानो ब्राह्मणा वेदपारगा II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,કૌરવ વંશનો યશ વધારવાવાળો અર્જુન જયારે ત્યાંથી જવા લાગ્યો ત્યારે,

તેની સાથે વેદજ્ઞ મહાત્મા બ્રાહ્મણો પણ તેની સાથે જવા લાગ્યા.વળી,આધ્યાત્મચિંતન કરવાવાળા,ભિક્ષાચારી બ્રહ્મચારી,ભગવદ્ભક્ત,પુરાણોના જ્ઞાતા સૂત,કથાવાચક,સન્યાસી,વાનપ્રસ્થ વગેરે પણ તેની સાથે ગયા.(1-3)

May 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-191

 

અધ્યાય-૨૧૨-સુંદ-ઉપસુંદનું મૃત્યુ 


II नारद उवाच II जित्वा तु पृथिवीं दैत्यो निःसप्तनौ गतव्यथौ I कृत्वा त्रैलोक्यमव्यग्नं कृतकृत्यो बभूवतुः II १ II

નારદ બોલ્યા-સમસ્ત પૃથ્વીને જીતી લઈને,ને ત્રણે લોકને એકસરખાં હથેળીમાં લઈને,તે બંને દૈત્યો શત્રુરહિત અને ચિંતામુક્ત થયા ને પોતાને કૃતાર્થ માનવા લાગ્યા.દેવો,ગંધર્વો,યક્ષો,નાગો,રાજાઓ ને રાક્ષસો પાસેથી સર્વ રત્નો પોતાને ત્યાં લાવીને તેઓ પરમ સંતોષ પામતા હતા.હવે કોઈ પણ તેમને વ્યથા કરનારો રહ્યો નહોતો એટલે તે બંને  નિરઉદ્યોગી રહી દેવોની જેમ વિહરવા લાગ્યા.સ્ત્રીઓ,ફુલમાળાઓ,સુગંધી દ્રવ્યો,પુષ્કળ ભક્ષ્યો-ને ભોજ્યો તથા 

મનગમતાં પીણાઓથી તેઓ પરમ પ્રીતિ મેળવતા હતા.ને દેવોની જેમ જ ઉદ્યાનોમાં,પર્વતોમાં,વનોમાં તથા ઈચ્છા પ્રમાણે અનેક જુદા જુદા પ્રદેશોમાં મનમાન્યો વિહાર કરતા હતા.(1-5)

May 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-190

અધ્યાય-૨૧૧-તિલોત્તમાનું નિર્માણ 


II नारद उवाच II ततो देवपर्य: सर्वे सिध्धाश्च् परमर्पय: I जग्मुस्तदा परामार्ति द्रष्ट्वा तस्कदनं महत् II १ II

નારદ બોલ્યા-આવો મહાસંહાર થતો જોઈને સર્વે દેવર્ષિઓ,સિદ્ધો,તથા પરમઋષિઓ પરમ દુઃખ પામ્યા.

ને જગત પર કૃપા કરવાની યાચના કરવા તેઓ પિતામહ બ્રહ્મા પાસે ગયા.ને દીન થઈને,તેઓએ,બ્રહ્માને,

સુંદ-ઉપસુંદનુ સર્વ કાર્ય,સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યું.ને સહાય કરવાની પ્રાર્થના કરી.એટલે તેમનાં વચન સાંભળીને,પિતામહે થોડીવાર વિચાર કરીને,નિશ્ચય કર્યો ને તેમણે વિશ્વકર્માને બોલાવ્યા.(1-10)

May 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-189

 
અધ્યાય-૨૧૦-સુંદ અને ઉપસુંદનો દિગ્વિજય 

II नारद उवाच II उत्सवे वृत्तमात्रे तु त्रिलोक्याकांक्षिणावुमौ I मंत्रयित्वा ततः सेनां तावाज्ञापयातां तदा II १ II

નારદ બોલ્યા-જયારે ઉત્સવ પૂરો થયો,ત્યારે ત્રણે લોક પર વિજય મેળવવા ઇચ્છતા તે બંનેએ મંત્રણા કરીને સૈન્યને આજ્ઞા આપી.મિત્રો,વૃદ્ધ દૈત્યો અને મંત્રીઓની રાજા લઈને,તથા પ્રયાણ માટેનાં મંગલ કાર્યો કરીને તેઓએ રાત્રે મઘા નક્ષત્રમાં,પોતાની મહાન દૈત્ય સેના સાથે પ્રયાણ આદર્યું.ચારણો,વિજયસૂચક મંગળ સ્તુતિઓથી તેમની પ્રશંસા કરતા હતા,અને તેઓ ઘણા પ્રસન્ન થઈને આગળ વધતા હતા.(1-4)