II वैशंपायन उवाच II कथयित्वा च तत्सर्वं ब्राह्मणेभ्य: स भारत I प्रपयौ हिमवत्पार्श्वं ततो वज्रधरात्मजः II १ II
વૈશંપાયન બોલ્યા-અર્જુને તે બધી વાત બ્રાહ્મણોને કહી સંભળાવી અને પછી,ત્યાં અગસ્ત્ય વટ આગળ જઈને વસિષ્ઠ પર્વત પર ગયો ને ભૃગુતુંગ (તુંગનાથ)માં જઈ પહોંચ્યો.હિરણ્યતીર્થમાં સ્નાન કરીને,તેણે અનેક પુણ્યસ્થાનોનાં દર્શન કર્યા ને પછી બ્રાહ્મણોની સાથે તે ,એ સ્થાનોમાંથી નીચે ઉતરી પૂર્વ તરફ ચાલ્યો.
ને તેણે નૈમિષારણ્ય તરફ વહેતી ઉત્પલીની,નંદા,અપરનંદા,યશસ્વિની,કૌશિકી.મહાનદી-આદિનાં દર્શન કર્યા.
આમ સર્વ તીર્થો તથા આશ્રમોના દર્શન કરીને તેણે બ્રાહ્મણોને ગાયોનું દાન આપ્યું.(1-8)


