અધ્યાય-41-શિશુપાલનાં વચન
II शिशुपाल उवाच II विधिपिकर्गभबदर्यामिपयन्मर्वपार्थिवान I न व्यपत्रपसे कम्मादवृद्धःमन् कुलपांमन II १ II
શિશુપાલ બોલ્યો-હે ભીષ્મ,તું વૃદ્ધ છે ને કુળને કલંક લગાવી રહ્યો છે.તું અનેક ડરામણીઓ બતાવીને,રાજાઓને બીવડાવતાં શરમાતો કેમ નથી?નપુંસકના સ્વભાવમાં રહેનારા તને જ આમ ધર્મરહિત અર્થવાળાં વચન બોલવાં શોભે એવાં છે,કેમ કે તું કુરુઓમાં વૃદ્ધ છે.હે ભીષ્મ,જેમ એક નાવ બીજી નાવને બંધાઈને ચાલતી હોય છે અને જેમ એક આંધળો બીજા આંધળાને અનુસરતો હોય છે,તેમ,તું જેનો અગ્રણી છે,તે કુરુઓ પણ તારી પાછળ પગલાં મૂકે છે.આ કૃષ્ણનાં ભૂતકાળનાં અનેક વિવિધ કર્મોનું કીર્તન કરીને તેં અમારા મનને અત્યંત વ્યથા આપી છે (4)




