Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Aug 28, 2023
Dongreji Ramyan Katha-02-ડોંગરેજી રામાયણ કથા-02
Dongreji Ramyan Katha-01-ડોંગરેજી રામાયણ કથા-01
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-283
II वैशंपायन उवाच II ततो वयध्वगतं पार्थप्रातिकामी युधिष्ठिरम् I उवाच वचनाद्राज्ञो धृतराष्ट्रस्य धीमतः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઘણે દૂર સુધી પહોંચી ગયેલ,પાર્થના પુત્ર યુધિષ્ઠિરની પાસે પ્રાતિકામી જઈ
પહોંચ્યો ને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી કહેવા લાગ્યો-'હે યુધિષ્ઠિરરાજ,પિતા ધૃતરાષ્ટ્રે કહેવડાવ્યું છે કે-
સભા પાથરીને તૌયાર કરી છે,તમે અહીં આવી ને પાસા નાખી ફરીથી દ્યુત રમો' (2)
Aug 27, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-282
II वैशंपायन उवाच II अथाब्रवीन्महाराज धृतराष्ट्रं जनेश्वरम् I पुत्रहार्दाद्धर्मयुक्ता गान्धारी शोककर्शिता II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પુત્રસ્નેહથી શોક વિહવળ થયેલી ને ધર્મમાં પરાયણ એવી ગાંધારીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-
'દુર્યોધનનો જન્મ થયો હતો ત્યારે વિદુરે કહ્યું હતું કે આ કુલકલંકને પરલોકમાં પહોંચાડી દો તો સારું.જન્મતાં જ તે શિયાળની જેમ ભૂંક્યો હતો.કુરુઓ,આ સમજી લે કે-તે કુળનો ખરેખર ઉચ્છેદક છે.હે ભારત,તમે જાતના દોષ વડે મહાજલમાં ડૂબો નહિ,ને અસભ્ય મૂર્ખ લોકોની વાતને ટેકો આપો નહિ.તમે કુળના નાશના કારણરૂપ ન થાઓ.
Aug 26, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-281
અધ્યાય-૭૪-યુધિષ્ઠિરને જુગારનું ફરીથી આમંત્રણ
II जनमेजय उवाच II अनुज्ञातांस्तान् विदित्वां सरत्नधनसंचयान् I पांडवान् धार्तराष्ट्राणां कथ्मासी न्मनस्तदा II १ II
જન્મેજય બોલ્યા-આમ,પાંડવોને રત્ન ને ધન સહિત જવાની આજ્ઞા મળેલી સાંભળીને,
ધૃતરાષ્ટ્રના પુત્રોના મનમાં કેવું થયું હતું?
વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રે,પાંડવોને ધનસાહિત વિદાય આપી છે તે સાંભળીને દુઃશાસન શીઘ્ર,મંત્રીઓ સાથે બેઠેલા પોતાના ભાઈ દુર્યોધન પાસે ગયો ને દુઃખથી આર્ત થઈને કહેવા લાગ્યો કે-'હે મહારથીઓ,મહાકષ્ટે મેળવેલા ધનને પેલા બુઢ્ઢા બાપે રોળી નાખ્યું છે અને તે સર્વ ધન શત્રુઓને સોંપી દીધું છે' આથી તરત જ,દુર્યોધન,કર્ણ અને શકુનિ,ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા અને ત્યાં દુર્યોધન કોમળ વચને,તેમને કહેવા લાગ્યો કે--(6)


