Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 6, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-332
અધ્યાય-૪૩-અર્જુનને ઇન્દ્રસભાનાં દર્શન
II वैशंपायन उवाच II ददर्शं स पुरीं रम्यां सिद्ध्चारणसन्विताम् I सर्वर्तुकुसुमैः पुण्यैः पादयरूपशोभिताम् II १ II
વૈશંપાયન બોલ્યા-સિદ્ધો ને ચરણોથી સેવાયેલી તથા સર્વ ઋતુઓના ફુલોવાળાં પુણ્યવૃક્ષોથી શોભી રહેલી તે રમણીય ઇન્દ્રપુરી નગરી હતી.પછી,જ્યાં સૌગન્ધિક કમળપુષ્પોની પવિત્ર મહેંકમાં ભળેલા વાયુની સુરખી વહેતી હતી.તેવા નંદનવનને અર્જુને જોયું,કે જે અપ્સરાઓના સમુહોથી સેવાયેલું હતું.અને તેમાંના દિવ્ય કુસુમવાળાં વૃક્ષો જાણે તેને બોલાવી રહ્યાં હતાં.પુણ્યકર્મીઓના આ લોકને તપ ન કરનારાઓ,અગ્નિહોત્ર ન રાખનારાઓ ને યુદ્ધમાં પીઠ બતાવનારાઓ તો જોઈ જ શકતા નથી.(4)
Nov 5, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-331
ઇન્દ્રલોકાભિગમન પર્વ
અધ્યાય-૪૨-અર્જુન ઇન્દ્રપુરીમાં
II वैशंपायन उवाच II गतेषु लोकपालेषु पार्थः शत्रुनिवर्हण: I चितयामास राजेन्द्र देवराजरथं प्रति II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજેન્દ્ર,તે લોકપાલો ગયા પછી અર્જુન,ઇન્દ્રના રથનું મનમાં ચિંતન કરતો હતો,તે સમયે,
માતલિ સાથેનો મહા કાંતિમાન રથ ત્યાં આવી પહોંચ્યો.તે રથ આકાશને અંધકારરહિત કરતો હતો ને જાણે મેઘોને ચીરતો હતો.તે રથમાં અસંખ્ય શસ્ત્રો હતા ને વાયુના વેગ જેવા દશ સહસ્ત્ર હરિ નામના અશ્વો જોડેલા હતા.
અર્જુને,સુવર્ણજડિત દંડે બાંધેલો 'વૈજયંત' નામનો ઇન્દ્રધ્વજ જોયો.ને રથમાં સુવર્ણથી વિભૂષિત થયેલા સારથિને બેઠેલો જોઈને 'તે કોઈ દેવ જ છે' એવો તર્ક થયો.પણ,એટલામાં તો તે માતલિ સારથી રથમાંથી ઉતરીને તેની પાસે આવીને અતિ નમ્ર સ્વરે અર્જુનને કહેવા લાગ્યો કે-(10)
Nov 4, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-330
અધ્યાય-૪૧-અર્જુનને લોકપાલો પાસેથી અસ્ત્રપ્રાપ્તિ
II वैशंपायन उवाच II तस्य संषश्यत्स्त्वेव पिनाकी वृषभध्वजः I जगामादर्शनं भानुर्लोकस्येवास्त मियिवान II १ II
વૈશંપાયન બોલ્યા-જેમ,અસ્ત પામતો સૂર્ય,લોકની દ્રષ્ટિ બહાર જાય છે,તેમ પિનાકધારી વૃષભધ્વજ (શંકર) તે અર્જુનના દેખાતા જ તેના દર્શન બહાર થઇ ગયા.અર્જુન 'મેં સાક્ષાત મહાદેવને જોયા' એવું પરમ આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો કે-ભગવાને દર્શન આપીને તેમણે મારો સ્પર્શ કર્યો,એથી હું ધન્ય ને કૃપાપાત્ર થયો.
હવે હું સર્વ શત્રુઓને જીતી શકીશ ને મારુ પ્રયોજન સિદ્ધ થઇ ગયું.'(4)
Nov 3, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-329
અધ્યાય-૪૦-અર્જુનને પાશુપત અસ્ત્રની પ્રાપ્તિ
II देवाधिदेव उवाच II नरस्त्वं पूर्वदेहे वै नारायणसहायवान I वदयां तप्तवानुपं तपोवर्पायुतान्व्हन II १ II
દેવાધિદેવ બોલ્યા-'પૂર્વજન્મમાં તું નારાયણના સાથવાળો 'નર' નામે ઋષિ હતો.અને ત્યારે બદ્રિકાશ્રમમાં તેં લાખો વર્ષ
તપ કર્યું હતું.તારામાં ને શ્રીવિષ્ણુમાં પરમ તેજ રહેલું છે ને તમે બંને આ જગતને તેજથી ધારણ કરી રહ્યા છો.
ઇન્દ્રના યજ્ઞ વખતે તમે બંનેએ મેઘના ઘોષવાળું ધનુષ્ય (ગાંડીવ) ધારણ કરીને દાનવોને મારી નાખ્યા હતા.
હે પાર્થ એ જ ગાંડીવ તારા હાથને જ યોગ્ય છે.મેં માયા વડે તેને હરી લીધું હતું,તે તને પાછું મળી જશે.
હે અર્જુન,તું સત્ય પરાક્રમી છે,હું તારા પર પ્રસન્ન છું,તારા સમાન મનુષ્યલોક કે સ્વર્ગલોકમાં,બીજો કોઈ પુરુષ નથી,
ને સર્વ ક્ષત્રિયોમાં તું શ્રેષ્ઠ છે.તું ઈચ્છીત વરદાન માગી લે (6)



