Nov 21, 2023

Udhdhav Gita-Gujarati-PDF Book-ઉદ્ધવ ગીતા બુક

Aparokshanubhuti-Gujarati-PDF Book-અપરોક્ષાનુભૂતિ બુક

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-346

 

અધ્યાય-૫૭-દમયંતીનો સ્વયંવર 


II बृहदश्च उवाच II अथ काले शुभे प्राप्ते तिथौ पुण्ये क्षणे तथा I आजुहाव महीपालान भीमो राजा स्वयमवरे II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,શુભ સમયે,પુણ્યતિથિએ અને મંગલ ઘડીએ ભીમરાજાએ,રાજાઓને સ્વયંવરમાં તેડાવ્યા.

એટલે દમયંતીની કામના કરતા સર્વ મહીપાલો દેવો ને નળરાજા આવીને પોતપોતાના સ્થાન પર વિરાજ્યા.

પછી,સુંદરમુખી,દમયંતી જયારે રંગમંડપમાં દાખલ થઇ ત્યારે,રાજાઓની દ્રષ્ટિ તેના જે જે ગાત્રો પર પડી ત્યાં જ તે ચોંટી રહી ગઈ.પછી,રાજાઓના નામ બોલવા લાગ્યા ત્યારે તે દમયંતીએ એક સરખી આકૃતિવાળા પાંચ પુરુષોને જોયા,કે જેને જોઈને તે સંદેહમાં પડી ને તે નળરાજાને તે પાંચમાંથી ઓળખી શકી નહિ.(11)

Nov 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-345

 

અધ્યાય-૫૬-દમયંતીનો નિશ્ચય 


II बृहदश्च उवाच II सा नमस्कृत्य देवेभ्यः प्रहस्य नलमन वीत I प्रणयस्य यथाश्रध्धं राजन किं करवाणि ते II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,મનથી દેવોને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરીને તે દમયંતીએ નળને કહ્યું કે-'હે રાજન,તમે મને પરણો.કહો હું તમારું શું પ્રિય કરું?હું ને મારુ ધન એ સર્વ તમારું જ છે,તમે વિશ્વાસપૂર્વક મને વરો.હંસોએ વર્ણવેલ તમારા રૂપની પ્રશંસાએ મને વિહવળ બનાવી છે ને તમારે કાજે જ મેં આ સર્વ રાજાઓને અહીં ભેગા કર્યા છે,તમે મને જો તરછોડશો તો હું આત્મહત્યા કરીશ' ત્યારે નળે કહ્યું કે-'લોકપાલો તારી ઈચ્છા કરતા ઉભા છે,છતાં તું મનુષ્યને કેમ પસંદ કરે છે?

હું તો તેમના ચરણની રજ બરાબર પણ નથી,માટે મારા વિશેનું તારું મન 

તું પાછું વાળ.કેમ કે દેવોનું અપ્રિય કરનારો મનુષ્ય મૃત્યુ જ પામે છે એટલે તું મને બચાવ ને શ્રેષ્ઠ દેવને વર 

તું દેવોને પામીને સ્વર્ગના સર્વ ભોગોને પ્રાપ્ત થઈશ.એક મિત્ર તરીકે મારુ કહેવું માની લે' (12)

Nov 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-344

અધ્યાય-૫૫-દેવોએ નળને પોતાનો દૂત કર્યો 


II बृहदश्च उवाच II तेभ्यः प्रतिज्ञाय नलः करिष्य इति भारतः I अथैतान्यपरिपप्रच्छ कृतांजलिरूपस्थितः II १ II

બૃહદશ્વ બોલ્યા-હે ભારત,લોકપાલોનું કહેવું સાંભળીને તે નળે,;હું તે દૂતકામ કરીશ' એવી પ્રતિજ્ઞા કરી.

પછી,હાથ જોડી ને તેમને પૂછવા લાગ્યો કે-'તમે કોણ છો?મારે કયું ને કોને દૂતકાર્ય કરવાનું છે?'

ત્યારે ઇન્દ્રે તેને કહ્યું કે-'હું ઇન્દ્ર છું ને આ અગ્નિ,વરુણ અને યમ એ લોકપાલો છે,અમે દમયંતી માટે આવ્યા છીએ,

એટલે તું દમયંતીને અમારા વિશે જણાવ ને તેને કહેજે કે લોકપાલોમાંથી ગમે તે એકને તું પતિરૂપે પસંદ કર'