Jun 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-556

 

અધ્યાય-૨૯૪-સાવિત્રીએ પતિ પસંદ કર્યો 


II मार्कण्डेय उवाच II अथ मद्राधिपो राज नारदेन समागतः I उपविष्ट: सभामध्ये कथायोगेन भारत II १ II

માર્કંડેય બોલ્યા-પછી,હે ભારત,એક દિવસ મદ્રાધિપતિ રાજા અશ્વપતિ,નારદજી સાથે સભામાં વાતચીત કરી રહ્યો હતો ત્યારે સર્વ તીર્થો ને આશ્રમોમાં ફરીને સાવિત્રી,મંત્રીઓની સાથે સભામાં આવી.અને પિતા તથા નારદજીને 

પગે લાગી.અશ્વપતિએ,નારદજીને પોતાની પુત્રીની ઓળખાણ કરાવીને પછી પુત્રીને તેની પતિની પસંદગી વિશે 

વિસ્તારથી કહેવાની આજ્ઞા આપી એટલે પિતાની આજ્ઞાને માન આપીને સાવિત્રી કહેવા લાગી કે-

Jun 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-555

પતિવ્રતામાહાત્મ્ય પર્વ 

અધ્યાય-૨૯૩-સાવિત્રી ચરિત્ર 


II युधिष्ठिर उवाच II नाSSत्मानमनुशोचामि नेमान भ्रातृन्महामुने I हरणं चापि राज्यस्य यथेमां द्रुपदात्मजाम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહામુનિ,મને આ દ્રુપદનંદિનીને માટે જેટલો શોક થાય છે તેટલો નથી મારી જાતનો,

ભાઈઓનો કે ચાલી ગયેલા રાજ્યનો થતો.ધૃતરાષ્ટ્ર પુત્રે અમને જુગારમાં કષ્ટ આપ્યું 

ત્યારે દ્રૌપદીએ જ અમને તારી લીધા હતા.વળી,જયદ્રથે તેનું હરણ કર્યું તેનો તો અધિક શોક છે.

દ્રૌપદી જેવી સ્ત્રી પૂર્વે તમે સાંભળી કે જોઈ છે ખરી? (3)

Jun 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-554

 

અધ્યાય-૨૯૧-સીતા શુદ્ધિ અને રામનો રાજ્યાભિષેક 


II मार्कण्डेय उवाच II स हत्वा रावणं क्षद्रं राक्षसेन्द्रं सुरद्विपं I वभूव हृष्टः ससुह्रुदामः सौमित्रिणा सह II १ II

માર્કંડેય બોલ્યા-દેવોના શત્રુ તે નીચ રાક્ષસરાજ રાવણને મારીને રામચંદ્ર સ્નેહીઓ તથા લક્ષ્મણ સાથે આનંદ પામ્યા.દશમુખ રાવણ હણાયો,ત્યારે દેવોએ તથા ઋષિવરોએ જયયુક્ત આશીર્વાદ આપી મહાબાહુ રામનું સન્માન કર્યું.દેવો અને ગંધર્વોએ શ્રીરામની સ્તુતિ કરી ને પુષ્પવર્ષા કરી.આમ,રાવણને હણ્યા પછી,વિભીષણને લંકા આપી.પછી,વૃદ્ધ અવિંદ્ય અને વિભીષણે સન્માનેલાં સીતાજીને,શ્રીરામની આગળ લાવી કહ્યું કે-'હે મહાત્મન,

આ સદાચાર વાળાં દેવી જાનકીજીનો સ્વીકાર કરો' ત્યારે શ્રીરામે આંસુભર્યા નેત્રવાળા સીતાજીને જોયા. (8)

Jun 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-553

 

અધ્યાય-૨૯૦-રાવણનો વધ 


II मार्कण्डेय उवाच II ततः क्रुद्धो दशग्रीवः प्रिये पुत्रे निपापिते I निर्ययौ रथमास्थाय हेमरत्नविभूषितम II १ II

માર્કંડેય બોલ્યા-પછી,પોતાના પ્રિય પુત્રનો વધ થવાથી ક્રોધે ભરાયેલા દશમુખ રાવણે સુવર્ણ અને રત્નોથી વિભૂષિત

રથમાં બેસીને રણપ્રયાણ કર્યું.વિવિધ હથિયારોથી સજ્જ ભયંકર રાક્ષસોથી વીંટાઇને તે રામની સામે ધસ્યો.

ક્રોધિત રાવણને આવતો જોઈને નીલ,નલ,અંગદ,હનુમાન,જાંબવાન-આદિએ સેના સાથે રહીને તેને ચારે બાજુથી

ઘેરી લીધો.ત્યારે રાવણે માયા પ્રકટાવી ને ત્યારે તેના દેહમાંથી હજારો રાક્ષસોને નીકળતા જોવામાં આવ્યા.શ્રીરામે

તે સર્વ રાક્ષસોને દિવ્ય અસ્ત્રથી મારી નાખ્યા.એટલે રાવણે ફરીથી માયા રચીને રામ અને લક્ષ્મણનાં

અનેક રૂપ ધારણ કર્યા ને રામ લક્ષ્મણ સામે ધસારો કર્યો.

Jun 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-552

 

અધ્યાય-૨૮૯-ઇંદ્રજીતનો વધ 


II मार्कण्डेय उवाच II तावुभौ पतितौ द्रष्ट्वा भ्रातरो रामलक्ष्मणौ I वबन्ध रावणिर्भुयः शरैर्दत्तवरैस्तदा II १ II

માર્કંડેય બોલ્યા-રામ અને લક્ષ્મણ એ બે ભાઈને પડેલા જોઈને,રાવણસુત ઇન્દ્રજિતે,દેવોનાં વરદાન પામેલાં બાણો વડે તેમને ચારે બાજુથી બાંધી દીધા.ત્યારે,સુગ્રીવ,સુષેણ,અંગદ,હનુમાન,નીલ આદિ સર્વ વાનરો તેમની આસપાસ આવીને તેમને વીંટીને ઉભા રહ્યા.ત્યાં વિભીષણે આવીને તે બંને વીરોને પ્રજ્ઞાસ્ત્રથી સચેત કર્યા.સુગ્રીવે પણ દિવ્ય મંત્રોથી મંત્રેલી વિશલ્યા નામની મહાઔષધિથી તેમને એક ક્ષણમાં ઘાવરહિત કરી દીધા.શુદ્ધિમાં આવતાં તે બંને એક ક્ષણમાં જ ઉભા થઇ ગયા.ત્યારે વિભીષણે હાથ જોડીને રામને કહ્યું કે-