અધ્યાય-૨૯૪-સાવિત્રીએ પતિ પસંદ કર્યો
II मार्कण्डेय उवाच II अथ मद्राधिपो राज नारदेन समागतः I उपविष्ट: सभामध्ये कथायोगेन भारत II १ II
માર્કંડેય બોલ્યા-પછી,હે ભારત,એક દિવસ મદ્રાધિપતિ રાજા અશ્વપતિ,નારદજી સાથે સભામાં વાતચીત કરી રહ્યો હતો ત્યારે સર્વ તીર્થો ને આશ્રમોમાં ફરીને સાવિત્રી,મંત્રીઓની સાથે સભામાં આવી.અને પિતા તથા નારદજીને
પગે લાગી.અશ્વપતિએ,નારદજીને પોતાની પુત્રીની ઓળખાણ કરાવીને પછી પુત્રીને તેની પતિની પસંદગી વિશે
વિસ્તારથી કહેવાની આજ્ઞા આપી એટલે પિતાની આજ્ઞાને માન આપીને સાવિત્રી કહેવા લાગી કે-


