Aug 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-584

 

અધ્યાય-૧૧-અર્જુનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत रूपसंपदा स्त्रीणांलंकारधरो ब्रुह्त्युमान I 

प्राकारवप्रे प्रतिमुच्य कुण्डले दीर्घे च कंवुपरिहाटके शुभे  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ત્યાં સ્ત્રીઓના અલંકારોને ધારણ કરનારો એક રૂપસંપત્તિવાળો ભવ્ય પુરુષ કોટની નજીકમાં દેખાયો,કે જેણે કાને મોટાં કુંડળો પહેર્યા હતા અને હાથમાં શંખનાં બલૈયાં તેમ જ સોનાનાં કડાં પહેર્યા હતાં.એ અર્જુન,પોતાના લાંબા બાહુઓને તથા કેશોને પ્રસારીને વિરાટરાજની સભા પાસે આવી ઉભો.

Aug 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-583

 

અધ્યાય-૧૦-સહદેવનો પ્રવેશ 


II वैशंपायन उवाच II सह्देवोपि गोपानां कृत्वा वेषमनुत्तमम् I भाषां चैपां समास्थाय विराटमुपयादथ II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સહદેવ પણ ગોવાળનો ઉત્તમ વેશ લઈને,ગોવાળિયાઓની બોલી બોલતો વિરાટરાજાની

પાસે જવા નીકળ્યો,ને રાજભવન પાસેની ગૌશાળા પાસે જઈને ઉભો રહ્યો.રાજાએ તેને જોયો,ત્યારે તેને પૂછ્યું કે-

'તું કોણ છે?ક્યાંથી આવ્યો છે?તું શું કરવા ઈચ્છે છે? મેં તને પૂર્વે જોયો નથી,તો તું સાચેસાચું કહે'

Aug 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-582

 

અધ્યાય-૯-દ્રૌપદીનો પ્રવેશ 


II वैशंपायन उवाच II ततःकेशान्समुत्क्षिप्य वेल्लिताग्राननिंदितान I 

कृष्णान सुक्ष्मान मृदून दीघान समुद्ग्रथ्य शुचिस्मिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નિર્મળ સ્મિતવાળી,શ્યામળ લોચનવાળી કૃષ્ણાએ પોતાના વાંકડિયા,સુંદર,કાળા,પાતળા,

કોમળ અને લાંબા કેશોને એકઠા કરીને ગૂંથી લીધા,ને તેને જમણા પડખામાં ઢાંકીને,અત્યંત મલિન એવું એક વસ્ત્ર પહેરીને,સૈરંધ્રીનો વેશ ધારણ કરીને દુ:ખીયારીની જેમ વિરાટનગરમાં ભટકવા લાગી.નગરવાસી સ્ત્રીઓએ

તેને પૂછ્યું કે-'તું કોણ છે? ને તું શું કરવા ઈચ્છે છે?'

Aug 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-581

અધ્યાય-૮-ભીમસેનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरो भीमबलः श्रिया जवलन्नुपाययौसिंहविलासविक्रमः I 

खजां चदर्विच करेण धारयन्नसि च कालांगमकोशमव्रणम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભયંકર બળવાળો,કાંતિથી ઝગમગતો અને ગિરિરાજ મેરુના જેવા દ્રઢ શરીરવાળો ભીમસેન કાળાં વસ્ત્રો ધારણ કરીને તથા હાથમાં કડછી,તાવેથો,ને માંસ કાપવાનો છરો લઈને રસોઈયાના વેશે એ મત્સ્યરાજ પાસે આવીને ઉભો.તે વખતે સૂર્યનો જેમ તે પોતાના તેજથી,આ લોકને પ્રકાશિત કરી રહ્યો હોય તેવો લાગતો હતો.તેને આવેલો જોઈને વિરાટરાજે એકઠા મળેલા પ્રજાજનોને હર્ષ પમાડતાં કહ્યું કે-

Jul 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-580

 

અધ્યાય-૭-વિરાટરાજને ત્યાં યુધિષ્ઠિરનો પ્રવેશ 


II वैशंपायन उवाच II ततो विराटं प्रथमं युधिष्ठिरो राज सभायामुपविष्टमाव्रजत I 

वैदूर्यरुपान्प्रतिमुच्य कान्चनानक्षान्स कक्षे परिगृह्य वाससा II १ II

 વૈશંપાયન બોલ્યા-પછી,સૌ પ્રથમ,તે યુધિષ્ઠિર,વૈડૂર્ય જડેલા સોનાના પાસાઓને વસ્ત્રમાં લપેટીને,બગલમાં દબાવીને સભામાં બેઠેલા વિરાટરાજા પાસે ગયા,ત્યારે તે બળ અને અપૂર્વ તેજ વડે દેવ જેવા,સૂર્ય જેવા અને ભસ્મથી ઢંકાયેલા

અગ્નિ જેવા વીર્યવાન લાગતા હતા.તેમને આવતા જોઈને વિરાટરાજ વિચારવા લાગ્યો કે-

'પૂર્ણચંદ્રના જેવા તેજસ્વી મુખવાળા આ કોઈ મહાનુભાવ આવ્યા છે' તેણે પોતાની પાસે બેઠેલા મંત્રીઓને પૂછ્યું કે-રાજાના જેવા લક્ષણોવાળો આ કોણ પહેલી વાર જ મને મળવા આ સભામાં આવી રહ્યો છે? તે બ્રાહ્મણ હોય તેવું મને લાગતું નથી,તેના શરીરના ચિહ્નો પરથી લાગે છે કે તે કોઈ રાજવી છે.જેમ,કોઈ મદમસ્ત હાથી કમલસરોવર પાસે જાય તેમ,આ જરા પણ વ્યથા વિના મારી પાસે આવી રહ્યો છે'(7)