Oct 19, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬-Gita Rahasya-Gnaneshvari-6-Adhyaya-2

હવે જેના વિષે વિચારવાનું-કે સમજવાનું છે-
તે-આત્મા છે-તેને સમજવાની જ કડાકૂટ આ ગીતામાં છે.આત્મા દેખી શકાય તેવો નથી.
એટલે તેને સમજાવવામાં પુસ્તકોની થપ્પીઓની થપ્પીઓ છે.
તર્કથી આત્માને સમજી કે સમજાવી શકાય તેમ નથી જ.
જેને નરી આંખે દેખી ન શકાય-તેને સમજાવી કેમ શકાય ? તેનું વર્ણન કેમ થાય ?
પણ તેને થોડોક પણ સમજ્યા વગર ગીતાનું આત્મજ્ઞાન સમજી શકાય તેવું નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-651

 

અધ્યાય-૧૪-ઈન્દ્રાણીને ઇંદ્રનાં દર્શન 


II शल्य उवाच II अथैना रूपिणी साध्वींमुपातिष्ठदुपश्रुतिः I तां वयो रूपसंपन्नां द्रष्ट्वा देवीमुपस्थिताम् II १ II

શલ્યે કહ્યું-પછી,ઉપશ્રુતિ દેવી મૂર્તિમંત થઈને સાધ્વી ઈન્દ્રાણી પાસે આવીને ઉભી.તેને જોઈને ઈન્દ્રાણી મનમાં 

બહુ પ્રસન્ન થઈને બોલી-'હે સુંદરમુખી,તને જાણવાની હું ઈચ્છા રાખું છું,માટે બોલ તું કોણ છે?'

ઉપશ્રુતિ બોલી-'હે દેવી,હું ઉપશ્રુતિ છું,તારા સત્યને લીધે હું તારી પાસે આવી છું,હું તને ઇંદ્રનાં દર્શન કરાવીશ,

તું મારી પાછળ ચાલ એટલે તને તે દેવેન્દ્રનાં દર્શન થશે' આમ કહી તે આગળ ચાલી ને તેની પાછળ ઈન્દ્રાણી ચાલી.

Oct 18, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫-અધ્યાય -2-Gita Rahasya-Gnaneshvari-5-Adhyaya-2

અર્જુન ની “બુદ્ધિ” પર “અજ્ઞાન” નો  અંધકાર છવાઈ જવાથી તે પોતાનું જે કર્મ કરવાનું (યુદ્ધ) છે તે ભૂલ્યો છે.એટલે શ્રીકૃષ્ણ સહુ પ્રથમ તો તેના અજ્ઞાન ને દૂર કરવા સાચું જ્ઞાન  (જ્ઞાનયોગ) સમજાવે છે.અને આ સાચું જ્ઞાન (આત્મ-જ્ઞાન) આપી ને તેને તેનો ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) અને તેનું સાચું કર્મ (કર્મયોગ) સમજાવે છે.  કે જેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) થાય.એટલે જ આ બીજા અધ્યાય માં જ્ઞાનયોગ અને કર્મયોગની પણ વાત છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-650

 

અધ્યાય-૧૩-ઇન્દ્ર જડ્યો ને ફરી સંતાયો 


II शल्य उवाच II अथ तामब्रवीद्रष्ट्वा नहुषो देवराट् तदा I त्रयाणामपि लोकानामहमिद्रः शुचिस्मिते II १ II

શલ્યે કહ્યું-તે વખતે ઈન્દ્રાણીને જોઈને દેવોનો રાજા નહુષ કહેવા લાગ્યો કે-'હે શુદ્ધ હાસ્યવાળી શચી,હું ત્રણે લોકનો ઇન્દ્ર છું,માટે તું મને પતિ તરીકે સ્વીકાર' ત્યારે ઈન્દ્રાણી ભયથી ઉદ્વેગ પામીને બોલી-'હે સુરેશ્વર,હું તમારી પાસેથી થોડા સમયનો અવધિ માંગવા ઈચ્છું છું.ઇન્દ્રના સંબંધમાં પાકી શોધ કર્યા પછી તે જો તે કોઈ પણ રીતે જડશે નહિ તો હું તમારી પાસે આવીશ,હું આ તમને સત્ય કહું છું' ત્યારે નહુષે કહ્યું કે*'ભલે તેમ થાઓ'

Oct 17, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-4-Adhyaya-2

અધ્યાય-૨ -૩
હવે પછીના આ ગીતાના અગિયારમા શ્લોકને ગીતાનું બીજ પણ કહે છે.
ભવિષ્યમાં ફરીથી ગીતા વાંચવાની શરૂઆત અહીંથી પણ કરી શકાય.???
જે આગળ જોઈ- એ વાત-ગીતા કયા સંજોગોમાં અને ક્યારે કહેવામાં આવી તેની પ્રસ્તાવના છે.તે જમાનાનેને અનુરૂપ યુદ્ધનો પ્રસંગ બતાવ્યો છે.