Mar 9, 2012
Gita Saar-Gujarati-ગીતા સાર-૯
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
અધ્યાય-૮ -અક્ષરબ્રહ્મ યોગ
અર્જુન-હે કૃષ્ણ ,તે બ્રહ્મ, શું છે?અધ્યાત્મ શું છે?કર્મ શું છે?અધિભૂત,અધિદૈવ,અધિયજ્ઞ શું છે?
એકાગ્ર ચિત્ત વાળાઓ મરણ કાળે તમને શી રીતે જાણે છે?(૧-૨)
કૃષ્ણ –હે અર્જુન ,--અક્ષર,અવિનાશી પરમાત્મા ‘બ્રહ્મ’ કહેવાય છે.
તેનો ‘સ્વ-ભાવ’(ચૈતન્ય-આત્મા) ’અધ્યાત્મ’ કહેવાય છે.અને
પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે ‘કર્મ’ કહેવાય છે.
નાશવાન પદાર્થ (શરીર) ‘અધિભૂત’ છે,
હિરણ્ય ગર્ભ પુરુષ (ચૈતન્ય ને આપનાર) ‘અધિ દૈવ’ છે.અને
શરીરમાં ચૈતન્ય રૂપે (આત્મા રૂપે ) ‘અધિ યજ્ઞ” છે.(૩-૪)
મરણ વખતે મારું સ્મરણ કરતાં કરતાં જે મનુષ્ય શરીર છોડી જાય તે મારા સ્વરૂપ ને પામે છે તેમાં કોઈ શંકા નથી.અથવા મનુષ્ય અંતકાળે જે વસ્તુ(ભાવના) ને યાદ કરતો શરીર છોડે છે ,તેને જ તે પામે છે.કારણ કે તે મનુષ્ય સદા ‘તેવી’ ભાવના વાળો હોય છે.(૫-૬)
ઇન્દ્રિયોના સર્વ દ્વારો નો નિરોધ કરી,મનને હૃદય માં સ્થિર કરી ,કપાળમાં ભ્રકુટી ના મધ્ય ભાગમાં પોતાના પ્રાણવાયુને સ્થિર કરી જે પુરુષ ‘ઓમ’ એવા એકાક્ષર નો જપ કરતો અને મારું સ્મરણ કરતાં દેહ છોડે છે,તે પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે.(૧૨-૧૩)
બ્રહ્મ લોક પર્યત્ન ના સર્વ લોક ,ઉત્પત્તિ અને વિનાશ ને આધીન છે.પણ માત્ર મારી પ્રાપ્તિ પછી પુનર્જન્મ થતો નથી.(૧ ૬)
જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થઇ જાય અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે,તે પરમ પુરુષ પરમાત્મા અનન્ય ભક્તિ વડે જ પ્રાપ્ત થાય છે.(૨૨)
શુક્લ અને કૃષ્ણ એવી બે ગતિ મનાય છે.એકથી(દેવયાન)જનાર યોગીને પાછા આવવું પડતું નથી જયારે બીજીથી(પિતૃયાન) જનાર યોગીને પાછા આવવું પડે છે.
આ બે માર્ગ ને જાણનાર યોગી મોહ માં પડતો નથી.(૨૬-૨૭)
વેદ,તપ,યજ્ઞ અને દાન દ્વારા થતી જે પુણ્યફળ ની પ્રાપ્તિ બતાવી છે, તે સર્વ પુણ્યપ્રાપ્તિ થી પણ આગળ વધીને યોગી આદિ અને ઉત્કૃષ્ટ સ્થાન ને પ્રાપ્ત થાય છે.(૨૮)
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.
Mar 8, 2012
Gita Saar-Gujarati-ગીતા સાર-૧૦
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
અધ્યાય-૯-રાજ વિદ્યા –રાજગુહ્ય યોગ
હવે હું તને ગૂઢ માં ગૂઢ(ગુહ્ય) જ્ઞાન ,વિજ્ઞાન સહિત કહું છું,
જે જ્ઞાન સર્વ વિદ્યા નો રાજા છે ,
સર્વ ગુઢતા માં શ્રેષ્ઠ,પવિત્ર,ઉત્તમ,ધર્મમય,સુખદ,પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવું અને
મેળવવામાં સરળ છે.(૧-૨)
(નોધ-ધર્મ વિષયક જ્ઞાન =ગુહ્ય જ્ઞાન ,આત્મ જ્ઞાન =ગુહ્યતર,પરમાત્મ જ્ઞાન=ગુહ્યત્તમ )
હું અવ્યક્ત સ્વરૂપ છું અને સકળ વિશ્વ મારાથી વ્યાપ્ત છે.મારામાં સર્વ જીવો રહેલાં છે,
પણ હું તેમનામાં સ્થિત નથી.( ૪)
જે રીતે સર્વ ગામી વાયુ આકાશ માં રહેલો છે,તેવી રીતે સર્વ જીવો મારામાં રહેલાં છે.(૬)
મારી ત્રિગુણાત્મક પ્રકૃતિનો આશ્રય લઇ --‘સ્વ-ભાવ થી પરાધીન’ એવા ‘સર્વ જીવોને’ ,કલ્પ ના અંતે હું ફરી થી ઉત્પન્ન કરું છું (૭)
ખોટી આશા,ખોટા કર્મ અને ખોટું જ્ઞાન વાળા અજ્ઞાની જનો-
અસુર જેવા-- મોહ માં ફસાવનાર –તામસી –સ્વભાવ ને ધારણ કરનારા હોય છે.
જયારે દૈવી પ્રકૃતિ નો આશ્રય લેનારા ભક્ત જનો
મને અક્ષર (નાશ વગરના)સ્વરૂપ નો જાણી ,મને ભજે છે.(૧૨-૧૩)
જે મનુષ્યો અનન્ય ભાવે મારું ચિંતન કરતાં મને ઉપાસી,નિત્ય મારામાં તત્પર રહે છે તેમના જીવન નો ભાર હું ઉઠાવું છું.(૨૨)
જે મને ભક્તિ પૂર્વક પત્ર,પુષ્પ,ફળ,પાણી વગેરે અર્પણ કરે છે,તે શુદ્ધ ચિત્ત વાળાના પદાર્થો હું ગ્રહણ કરું છું.(૨૬)
તું જે ખાય છે ,જે કરે છે,જે હોમે છે,જે દાન કરે છે,જે તપ કરે છે તે સર્વ મને અર્પણ કર (૨૭)
અત્યંત દુરાચારી પણ જો અનન્ય ભાવથી મને ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો,કારણ કે તે મારામાં નિશ્ચય વાળો હોય છે.તે સત્વર જ ધર્માત્મા થાય છે ,શાંતિ ને પ્રાપ્ત થાય છે,
મારો ભક્ત કદી પણ નાશ પામતો નથી તેવું તું નિશ્ચય પૂર્વક જાણ.(૩૦-૩૧)
તું મારામાં ચિત્ત રાખ,મારો ભક્ત થા,મને પૂજનારો થા,અને મને નમસ્કાર કર.આ પ્રકારે મારા પારાયણ થયેલો તું નિશંક મને જ પામીશ.(૩૪)
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.
Subscribe to:
Posts (Atom)