Dec 1, 2012

રામાયણ-૪૦

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામ-લક્ષ્મણ આશ્રમ માં પાછા આવ્યા અને જોયું તો સીતાજી આશ્રમ માં નથી.

રઘુનાથજી એ નાટક કર્યું છે,
અજ્ઞાન થી –વિયોગ માં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.રામજી પાસે અજ્ઞાન આવી શકે નહિ.
તેમ છતાં-સ્ત્રીવિયોગ માં પુરુષ જેવી રીતે રડે છે-તેનું નાટક કર્યું છે

એકનાથજી એ સીતા-વિયોગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે.
રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરી ને વિલાપ કરે છે-
ત્યારે લક્ષ્મણ સમજાવે છે-ધીરજ રાખો,આંખો ઉઘાડો.
રામ કહે છે-કે-આંખો કેમ કરી ઉઘાડું ? ધરતી મારી સાસુ છે-તેના તરફ જોઉં તો તે મને કહે છે-કે-
સ્ત્રી નું રક્ષણ કરવાની શક્તિ નહોતી તો પરણ્યો શું  કામ ?
આકાશ તરફ જોઉં તો સૂર્યનારાયણ મને ઠપકો આપે છે-કે-મારા કુળમાં આવો જન્મ્યો કે જે પત્ની નું રક્ષણ કરી શક્યો નહિ? ........તેથી હું આંખ ઉઘાડી શકતો નથી.

રામ-લક્ષ્મણ સીતાજી ની શોધ માં નીકળ્યા છે.
સીતાની શોધ માં ચાલતાં-રસ્તામાં જટાયુ ને પડેલો જોયો, જટાયુ એ કહ્યું-કે રાવણે મારી આ દશા
કરી છે.તે સીતાજી નું હરણ કરી ને દક્ષિણ દિશા માં ગયો છે.

જટાયુ ને જોતાં, રામજી સ્ત્રીવિયોગ નું દુઃખ ઘડીભર ભૂલી ગયા છે. દશરથ મહારાજ ને જટાયુ સાથે મૈત્રી હતી,તેથી જટાયુ ને રામજી કાકા કહી ને બોલાવતા હતા.
જટાયુ માટે બહુ વ્યાકુળ થયેલા રામજીએ ધીરજ રાખી ને જટાયુ ને કહ્યું-કે- કાકા, મારા લીધે તમારી આ દશા થઇ છે,તમે કહો તો તમારા શરીર ને સારું બનાવી દઉં, તમે શરીર ને ધારણ કરી રાખો.

જટાયુ એ ના પાડી છે, અને કહ્યું-કે-મરતી વખતે જેનું નામ (રામનું નામ) મુખ માંથી નીકળે –તે અધમ હોય તો પણ મુક્તિ પામે છે,તેવા આપ મારાં નેત્રો સમક્ષ ઉભા છો,તો હે નાથ,હું કઈ કમી ની પૂર્તિ માટે આ દેહ ને રાખું ? મારી એક જ ઈચ્છા હતી કે અંત સમયે મને રામ ના દર્શન થાય, તમારાં દર્શન માટે મેં પ્રાણ ને રોકી રાખ્યા હતા,હવે ભલે મારા પ્રાણ જાય.

આમ કહી જટાયુએ રામજી ની ગોદમાં માથું નાખી દીધું. હે-રામ,હે-રામ  -કહેતાં જટાયુ, ગીધ શરીર નો ત્યાગ કરે છે, અને હરિ ના ધામ માં જાય છે.
યોગીઓ પણ જે ગતિ ને યાચે છે-તે સારૂપ્યગતિ, રામજી ,જટાયુ ને આપે છે.

જીવ ઈશ્વર સાથે સંબંધ જોડે છે-ત્યારે તેનું મરણ ઈશ્વર સુધરે છે.
જટાયુ ગીધ પક્ષી છે.પક્ષીઓ માં ગીધ ને અધમ પક્ષી ગણ્યું છે,પણ રામ સાથે સંબંધ બાંધી,જટાયુ એ પોતાનું મરણ સુધાર્યું છે. શ્રી રામની સેવા-શ્રીરામનો સંપર્ક –સંબંધ થી મુક્તિ મળે છે.

જટાયુ ના દેહનો અગ્નિ સંસ્કાર એક પુત્ર જેમ પિતાનો કરે તે પ્રમાણે –રામજી એ કર્યો છે.
રામજી જેવો દયાળુ કોઈ થયો નથી અને થવાનો નથી.
માટે તો શિવજી,પાર્વતી ને કહે છે-કે-તે લોકો ખરેખર અભાગી છે-કે જે –રામજી ને (હરિને) છોડી ને –
વિષયો સાથે પ્રેમ કરે છે.

જટાયુ નું મરણ સુધારી ને –શ્રીરામ આગળ વધ્યા છે.ત્યાંથી પંપા સરોવર ને કિનારે,શબરી ના આશ્રમ માં પધાર્યા છે. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણ માં શબરીજી ની કથા સુંદર વર્ણવી છે.
શબરીના ચરિત્રનું વર્ણન કરતાં, એકનાથજી ને સમાધિ લાગી છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૩૯

      PREVIOUS PAGE
     NEXT PAGE

વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે અને પછી,પોતાનું પોત પ્રકાશિત કરે છે.
વાસના ની પક્કડ માંથી જલ્દી છૂટી શકાતું નથી. વાસના ઇન્દ્રિયો માંથી ઉદ્ભવે છે,અને ઇન્દ્રિયોના ઉપભોગ માં કદી શાંતિ મળતી નથી. શાંતિ ભોગ થી નહિ પણ ત્યાગથી મળે છે.
મનુષ્યે વાસના રૂપી શૂર્પણખા થી સાવધાન રહેવાની જરૂર છે.

જયારે શૂર્પણખા રામજી ની પાસે આવી ત્યારે રામજીએ તેને નજર આપી નથી. જયારે વાસનાનો પ્રસંગ આવે ત્યારે આંખ ને પરમાત્માના ચરણ તરફ રાખવાની.......

લક્ષ્મણ જી એ આવી અને શૂર્પણખા ના નાક-કાન કાપી નાખ્યાં છે.
શૂર્પણખા રડતી- રડતી,ખર,દૂષણ,ત્રિશીરા રાક્ષસો પાસે આવી અને કહે છે-કે રામના ભાઈએ મારી આ દુર્દશા કરી છે. રાક્ષસો યુદ્ધ કરવા આવ્યા છે. પણ રામજી એ તે સર્વ રાક્ષસો નો નાશ કર્યો.
એટલે શૂર્પણખા ત્યાંથી રાવણ પાસે ગઈ,અને કહે છે-કે-દશરથ ના બે પુત્રો રામ-લક્ષ્મણ પંચવટી માં રહે છે,
તેની પાસે સુંદર સ્ત્રી છે,હું તે તારા માટે લેવા ગઈ હતી,અને મારી આ દશા થઇ છે. તારા રાક્ષસો નો પણ
તેમણે વિનાશ કર્યો છે. રાવણે શૂર્પણખા ને આશ્વાસન આપ્યું છે.

આ તરફ રામજી એ સીતાજી ને કહ્યું-કે-દેવી હવે લીલા કરવી છે,તમે અગ્નિ માં નિવાસ કરો.
એટલે કહેવામાં આવે છે-કે- રાવણ જે સીતાજી ને લઇ ગયેલો તે સીતાજી ની “છાયા” હતી.  

સમુદ્ર કિનારે મારીચ રહેતો હતો –ત્યાં રાવણ આવ્યો છે,અને કહે છે-કે-રામ રાક્ષસો ને મારે છે,મેં તેમની જોડે વેર કર્યું છે,તું મને મદદ કર.ત્યારે મારીચ કહે છે-કે-રામ નાના હતા ત્યારે મને તેમના દર્શન થયા હતા,
વિશ્વામિત્ર ના યજ્ઞ નું રક્ષણ કરવા તેઓ આવેલા. હું યજ્ઞ માં વિઘ્ન કરવા ગયો,અને તેમણે એક બાણ માર્યું  અને હું આ સમુદ્રના કિનારે આવી પડ્યો છું.તેમની સાથે તું વેર કરીશ નહિ.

પણ રાવણ માનતો નથી.રાવણ મારીચ સાથે પંચવટી ના વન માં આવ્યો છે,મારીચે કનકમૃગ નું સ્વરૂપ ધારણ કર્યું, સીતાજી એ તે મૃગ ને જોયું અને તેમણે રામજી ને કહ્યું-કે-આ અતિ સુંદર છે,તેને મારી તેનું ચામડું લઇ આવો. રામજી મૃગ ને મારવા જાય છે,રામજી એ મારીચ (મૃગ)ને બાણ માર્યું ત્યારે તે –
રામજી ના જેવો અવાજ  (સાદ) કરી “હે લક્ષ્મણ-હે લક્ષ્મણ” કરી જમીન પર પડ્યો.

આ બાજુ સીતાજી એ “હે લક્ષ્મણ” ની બુમ સાંભળી.તેમણે લક્ષ્મણ ને કહ્યું કે- તમારા ભાઈ કંઈ વિપત્તિમાં લાગે છે,અને તમને બોલાવતા લાગે છે. સીતાજી ના કહેવાથી લક્ષ્મણ રામજી ની મદદે જવા નીકળે છે.
તે જ વખતે રાવણ સીતાજી પાસે ભિક્ષા લેવા આવ્યો અને રાવણે સીતાજી નું અપહરણ કર્યું છે.

સીતાજી ને રથમાં બેસાડી તે આકાશમાર્ગે જવા લાગ્યો.ત્યાં જટાયુ એ સીતાજી ના દુઃખભર્યા વચનો સાંભળ્યા.એટલે જટાયુ યુદ્ધ કરવા આવ્યો છે.જટાયુ વૃદ્ધ છે છતાં અતિ બળવાન છે.
યુદ્ધ વખતે રાવણે જટાયુ ને પૂછ્યું-કે તારા ઇષ્ટદેવ ના સોગન,તારું મરણ ક્યાં છે તે બતાવ.
જટાયુ એ સાચું કહી દીધું કે મારી પાંખો કોઈ કાપી નાખે ત્યારે મારું મૃત્યુ થશે.

તે જ વખતે જટાયુ એ રાવણ ને પૂછ્યું કે-તારું મરણ કેવી રીતે છે તે બતાવ.
રાવણ તે વખતે જુઠ્ઠું બોલ્યો છે-રાવણે કપટ કર્યું કે –મારું મરણ મારા અંગુઠામાં છે.
આ સાંભળી જટાયુ જ્યાં રાવણ ના અંગુઠાને ચાંચ મારી મારવા જાય છે તે જ વખતે રાવણે –તેની બંને
પાંખો કાપી નાંખી છે.

બીજી બાજુ લક્ષ્મણ રામજી પાસે આવ્યા, તો રામજી કહે છે-કે-સીતાજી નું રક્ષણ કરવા મેં તને આજ્ઞા કરેલી,તે તું કેમ આવ્યો ? રામજી લક્ષ્મણ ને ઠપકો આપે છે.
લક્ષ્મણ કહે છે-હું તો આવતો નહોતો પણ ભાભી ના કહેવાથી આવવું પડ્યું.

લક્ષ્મણ ને થયું કે આ રામજી ની સેવા કરવી બહુ કઠણ છે,
રામે એક વખતે લક્ષ્મણ ને કહેલું કે –લક્ષ્મણ તે મારી બહુ સેવા કરી છે,આવતા જન્મ માં હું તારી સેવા કરીશ.બીજા જન્મ માં લક્ષ્મણ –બલરામ (શ્રીકૃષ્ણ ના મોટાભાઈ) થયા છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૩૮

      PREVIOUS PAGE
     NEXT PAGE


આ બાજુ ચિત્રકૂટ માં રામજી એ વિચાર્યું કે-જો અહીં રહીશ તો અયોધ્યા થી ઘણા લોકો મને મળવા આવશે.
એટલે રામજી એ ચિત્રકૂટ નો ત્યાગ કરવા નો નિશ્ચય કર્યો.
ચિત્રકૂટ ના મહાન સંત અત્રિ ઋષિ ના આશ્રમ માં રામજી પધાર્યા છે.

અત્રિ=નિર્ગુણી. ત્રણ ગુણ માં ફસાય નહિ તે અત્રિ.
મનુષ્ય ત્રણ ગુણ માં ફસાયેલો રહે છે.દિવસે રજોગુણમાં,રાત્રે તમોગુણ માં, અને ભગવદ ભજન માં હૃદય
આર્દ્ર બને ત્યારે સત્વગુણ માં.
આ સમજાવવા રામાયણ માં ત્રણ ઉદાહરણ બતાવ્યાં છે.
વિભીષણ સત્વગુણ,રાવણ રજોગુણ અને કુંભકર્ણ તમોગુણ નું સ્વરૂપ છે.

રઘુનાથજી અત્રિ ઋષિ ના આશ્રમ માં પધાર્યા છે.એવું લખ્યું નથી કે અત્રિ ઋષિ રામજી ને મળવા ગયા છે.
જીવ લાયક થાય ત્યારે રામ (પરમાત્મા) તેને મળવા આવે છે.
જે ત્રણ ગુણ ને ઓળંગી ને નિર્ગુણ પરમાત્મા સાથે મન થી સંબંધ જોડી રાખે છે-તેને અત્રિ કહે છે.
અત્રિ ઋષિ ના પત્ની અનસૂયા મહાન પતિવ્રતા છે.અત્રિઋષિ વૃદ્ધ થયા છે, ગંગાસ્નાન કરવા જઈ શકતા નથી,અનસૂયાની પ્રાર્થના થી મંદાકિની ગંગા અત્રિઋષિ ના આશ્રમ માંથી નીકળ્યાં છે.
અનસુયાએ સીતાજી ના ખૂબ વખાણ કર્યા છે અને સીતાજી ને દિવ્ય વસ્ત્રો આપ્યા છે-જે કદી પણ મેલા થાય નહિ. ભવિષ્ય ની જાણે તૈયારી કરી આપી !!!

અત્રિ ઋષિ ને ત્યાંથી રામજી સુતીક્ષ્ણ ના આશ્રમ માં આવ્યા છે. આ પ્રસંગ અતિ દિવ્ય છે.
સુતીક્ષ્ણ એ અગસ્ત્ય ઋષિ ના શિષ્ય હતા. અભ્યાસ પુરો થયા પછી,સુતીક્ષ્ણ ગુરુજી ને ગુરુદક્ષિણા માંગવાની ‘કહે છે-તે વખતે અગસ્ત્ય ઋષિ એ કહ્યું કે-“તારી જોડે થી કશી આશાથી મેં વિદ્યાદાન કર્યું નથી”
પરમાત્મા નો જેને અનુભવ થયો છે-તેના જીવન માં સુખ અને શાંતિ હોય છે.
સુતીક્ષ્ણ જયારે બહુ આગ્રહ કરે છે-ત્યારે
અગસ્ત્ય કહે છે-કે-તારામાં શક્તિ હોય તો રામજી ના દર્શન મને કરાવજે.

સુતીક્ષ્ણ ને આજે રામના દર્શન થયા પછી રામજી ને કહે છે કે આગળ નો રસ્તો હું તમને બતાવીશ.
રામજી એ લક્ષ્મણ ને કહ્યું-કે આ રસ્તો બતાવવા નહિ પણ પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા માટે આવે છે.
સુતીક્ષ્ણ રામજી ને અગસ્ત્ય ના આશ્રમ માં લઇ જાય છે, અગસ્ત્ય ઋષિ દોડતા આવ્યા છે,રામજી ના દર્શન કરી કૃતાર્થ થયા છે. રામજી ને કહે છે-કે-તમારી કૃપા જે જીવ ઉપર હોય તે જ તમને ઓળખી શકે છે.
જે તમને બરોબર જાણે છે-તે પછી તમારાથી અલગ રહી શકતો નથી.

રામજી એ આશ્રમ માં અસ્થિ ઓ નો ઢગલો જોયો,ત્યારે અગસ્ત્ય ઋષિએ કહ્યું-કે રાક્ષસો ઋષિઓ ને ત્રાસ આપે છે.મારે છે. અસ્થિઓ નો ઢગલો જોતાં માલિક નું હૃદય ભરાયું છે.અને હાથ ઉંચો કરી ને પ્રતિજ્ઞા કરે છે-કે-હું બધા રાક્ષસો નો વિનાશ કરીશ.

તે પછી ગોદાવરીના કિનારે પંચવટી માં મુકામ કર્યો છે.
પંચવટી એટલે પંચ પ્રાણ. પંચ પ્રાણ માં પરમાત્મા વિરાજે છે.
સંસાર અરણ્ય માં ભટકે તેને શૂર્પણખા (વાસના) મળે છે.રામજી શૂર્પણખાને આંખ આપતા નથી.
શૂર્પણખા એ મોહ નું સ્વરૂપ છે,રાવણ ની એ બહેન છે.બનીઠની ને રામજી પાસે આવી છે.
તે હતી તો વિધવા પણ જુઠ્ઠું બોલે છે અને કહે છે-કે-હું કુંવારી છું,આજ સુધી મને પરણવા લાયક મુરતિયો મળ્યો નથી, તમને જોતાં મારું મન માને છે,તેથી તમારી સાથે લગ્ન કરવા આવી છું.

રામજી કહે છે-કે-“તું જેવી રીતે કુંવારી છે-(વિધવા હોવાં છતાં) તેવો મારો ભાઈ પણ કુંવારો છે,
(એકલો છે) તું તેની પાસે જા.હું તો એક પત્નીવ્રત પાળું છું.
શૂર્પણખા ગુસ્સે થઇ અને કહે છે-કે- આ સીતાજી ને લીધે તું ના પાડે છે,હું તને ખાઈ જઈશ,આમ કહી તેણે
વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૩૭

      PREVIOUS PAGE
     NEXT PAGE

રામની આસ પાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે અને ચર્ચા ચાલે જાય છે, ભરત આજ્ઞા માગે છે.

રામજી એ છેલ્લો નિર્ણય જાહેર કર્યો-કે-
ભરત આજ સુધી મેં તને કદી નારાજ કર્યો નથી પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે.પિતાજી ની આજ્ઞાનું પાલન કરવું તે મારો અને તારો બંને નો ધર્મ છે.પિતાજી ની બંને આજ્ઞાનું પાલન કરવાનું જ છે.
પહેલી આજ્ઞા તારે પાળવાની છે અને બીજી આજ્ઞા મારે પાળવાની છે. તારે ચૌદ વર્ષ રાજ્ય કરવાનું છે-
અને મારે ચૌદ વર્ષ વનમાં રહેવાનું છે.

ભરતજી એ કહ્યું-ચૌદ વર્ષ સુધી હું તમારી પ્રતીક્ષા કરીશ.ચૌદ વર્ષ ની અવધિ પુરી થયા પછી એક દિવસ પણ વિલંબ કરશો તો હું અગ્નિ માં પ્રવેશ કરી ને પ્રાણ ત્યાગ કરીશ. પણ નાથ,હું એકલો કેમ જઈશ ?
મને કોઈ અવલંબન આપો,મારા પ્રાણ ને ટકાવવા ,મને કોઈ આધાર આપો.

રામજી એ ભરત ને પાદુકા આપી છે. ભરત ને આનંદ થયો,ચરણપાદુકા ને તેમણે મસ્તક પર મૂકી.
ભરતજી ને એમ લાગ્યું કે –“મને મારાં રામ-સીતા મળ્યાં છે.હું હવે એકલો નથી.”
બંધુપ્રેમ નો આદર્શ બતાવતાં ભરતજી સીતારામ સીતારામ બોલતા જાય છે. અયોધ્યા આવી અને
સિંહાસન પર ચરણ પાદુકા ની સ્થાપના કરી છે,રાજ્ય મારું નથી,રામજી નું છે,હું તો સેવક છું.
પાદુકાને પૂછી ને આજ્ઞા મેળવીને ભરતજી બધું કામ કરે છે. પાદુકાની નિત્ય સેવા કરે છે.
ભરતજી ગોમુખયાવક વ્રત કરે છે.(ગાયને જવ ખવડાવે,તે તેના છાણમાંથી બહાર નીકળે તે વીણી ને,
તેને ગૌમુત્ર માં ઉકાળી રાબ બનાવે. આવા ઉકાળેલા જવ ચોવીસ કલાક માં એક વખત ખાવા તે-વ્રત)

રામજી દર્ભ ની પથારી પર સૂવે તો ભરત જમીન પર સૂવે છે.રામજી ની તપશ્ચર્યા કરતા પણ ભરતની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે.તેવું મહાત્માઓ કહે છે.રામજી તો વન માં રહી તપશ્ચર્યા કરે છે,જયારે ભરત મહેલ માં રહી ને તપશ્ચર્યા કરે છે.વનમાં રહી તપ કરવું કઠણ નથી પણ રાજમહેલ માં રહી તપ કરવું કઠણ છે.

ભરતજી નો પ્રેમ એવો કે જડ પાદુકા ચેતન બની જાય છે.સાયંકાળે,શૃંગાર કરી સીતારામજી માં આંખ સ્થિર કરી ભરતજી સીતારામનો જાપ કરે છે.ભરતજી પાદુકા માં નજર સ્થિર કરે છે,ઘણીવાર રામજીનો વિયોગ સહન થતો નથી, રામજી ના દર્શન માટે પ્રાણ તલસે છે.રામનામ નો જપ કરે ત્યારે સંયોગ નો અનુભવ થાય છે.ભરતજી રામ-સીતા વનમાં ગયા છે-તે ભુલી જાય છે,રામ-સીતાને પ્રત્યક્ષ અનુભવે છે.

રામ-સીતાનું એક સ્વરૂપ વનમાં છે અને એક સ્વરૂપ ઘરમાં છે. શ્રીરામ તો સર્વવ્યાપક છે.
જેટલા ભક્તો તેટલા રામ છે. રામજી નું સ્મરણ કરતાં જ રામ પ્રગટ થાય છે.
સર્વવ્યાપક પરમાત્મા માયાના આવરણ માં છુપાયેલા હોય છે,ભક્તો પ્રેમથી ભક્તિ કરી તેમને પ્રગટ કરે છે.
પ્રેમ થી જ્યાં પરમાત્મા નો જપ થાય ત્યાં પ્રભુ ને પ્રગટ થવું પડે છે.

પાણી-પાણી- એવો જપ કરવાથી પાણી પાસે આવતું નથી,પાણી જોઈતું હોય તો પાણી પાસે જવું પડે છે,
પાણી જડ છે.પરંતુ પ્રભુ તો ભક્ત પાસે આવે છે.
મનુષ્યો પૈસા માટે પ્રવૃત્તિ કરે છે,પણ પરમાત્મા માટે પ્રવૃત્તિ કરતા નથી,પૈસા માટે પ્રવૃત્તિ કરનાર ઉપર
પ્રભુ ને દયા આવતી નથી.
જીવન માં પૈસા કરતાં પ્રભુ ની વધારે જરૂર છે.પણ કોણ જાણે માનવી ને પૈસા જેટલી પ્રભુની જરૂર લગતી નથી.એટલે મનુષ્ય ને પ્રભુ દૂર દૂર લાગે છે,પરંતુ પ્રભુ તો પાસે જ છે.

ભરતજી જેવું પવિત્ર અને તેમના જેવો પ્રભુ નો વિરહ જાગે તો-પ્રભુ પ્રગટ થાય જ છે.
ભરતજી જયારે રામ-વિરહ માં એકદમ વ્યાકુળ થાય છે-ત્યારે પાદુકા માંથી શ્રીરામ પ્રગટ થાય છે.
વિયોગ નો આદર્શ ભરત છે-અને સંયોગ માં સેવા કેવી રીતે કરવી તેનો આદર્શ લક્ષ્મણ છે.

ભરતજી ના પ્રેમનું વર્ણન કોણ કરી શકે ?
જગત- જે રામનું સ્મરણ કરે છે-તે-જ-રામ..... ભરતજી નું સ્મરણ કરે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૩૬

      PREVIOUS PAGE
     NEXT PAGE

રામજી એ પિતાજી ના મૃત્યુ ના સમાચાર સાંભળી –પછી પિતાજી નું શ્રાદ્ધ કર્યું છે.
રામજી એ ચૌદ વર્ષ કંદમૂળ નું સેવન કર્યું છે,અનાજ ખાધું નથી તેથી ફળ નું પિંડદાન કર્યું છે.

શ્રાદ્ધ માં શ્રદ્ધા પ્રધાન છે. મોટે ભાગે વાસના રાખી ને જીવ,શરીર છોડે છે. જે વિકાર-વાસના સાથે મરે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે,પણ જે નિર્વાસન (વાસના વગરનો) થઇ ને મરે તેની પાછળ શ્રાદ્ધ -ના થાય તો પણ વાંધો નથી, તેનું શ્રાદ્ધ ના થાય તો પણ તેની સદગતિ થાય છે.

દશરથ મહારાજ પાછળ પિંડદાન કરવાની જરૂર નથી,તેઓ છેલ્લા શ્વાસ સુધી રામજી નું સ્મરણ કરતા હતા.
પણ જગત ને આદર્શ બતાવવા –શ્રાદ્ધ કર્યું છે.

રામજી ની સેવામાં ચિત્રકૂટ નાં જેટલાં વૃક્ષો છે તે ફળવાળાં થયાં છે. ભીલ લોકો ફળ લઇ આવી અયોધ્યાની
પ્રજાનું સ્વાગત કરે છે. અયોધ્યા ના લોકો ને આશ્ચર્ય થાય છે-કેવાં સારા લોકો ! કેવો પ્રેમ! કેવી સરસ સેવા કરે છે ! તેઓ ને કંઈક આપવું છે.કોઈ સોનાની વીંટી આપવા જાય તો ભીલ લોકો તે લેવાની ના પડે છે.

ભીલ લોકો કહે છે-કે રામજી એ અમને અપનાવ્યા પછી અમે સનાથ થયા છીએ.પંદર દિવસ પહેલાં તમે આવ્યા હોત તો –તમારું સ્વાગત કરવાને બદલે અમે તમને લુંટી લીધા હોત.પણ રામજી ના દર્શન કર્યા પછી.અમારી વૃત્તિ બદલાઈ ગઈ છે,”રઘુનાથજી કી નજરિયા જાદુભરી હૈ”

રઘુનાથજી ની નજરથી ભીલ લોકો નું પાપ છૂટી ગયું છે,ચોરી-હિંસા ની આદત છૂટી ગઈ છે.
રામજી ના દર્શન કરતા ચિત્રકૂટ ના ભીલો નું જીવન સુધરે છે-અને જો આપણું જીવન ના સુધરે તો તેના જેવું બીજું પાપ કયું ?
રામજી નાં દર્શન કરતાં તો સ્વભાવ સુધરે જ છે પણ –રામજી નું નામ લેતાં પણ સ્વભાવ  સુધરે છે.

ભરત ને એક જ ચિંતા છે-કે- મારાં રામ-સીતા ઘેર કેમ કરી ને આવે?હું મારા મુખ થી કેવી રીતે કહું ?
વશિષ્ઠ જી ભરત ની પરીક્ષા કરે છે-અને કહે છે-કે-
ભરત-શત્રુઘ્ન તમે બંને વનમાં રહો અને રામ-સીતાને અમે અયોધ્યા લઇ જઈશું.

ભરત બોલ્યા છે-કે- ગુરુજી તમે મારા મન ની વાત કહી,રામજી અયોધ્યા પધારે તો ચૌદ વર્ષ તો શું અમે આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છીએ.

છેવટે વશિષ્ઠ જી બોલ્યા છે-કે- લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે-પણ આ ભરત ને જોયાં પછી મને થાય છે-કે-
ભરત ની ભક્તિ મારા કરતા પણ ચઢી જાય તેવી છે.માટે હે-રામ તે સુખી થાય તેવો ઉપાય કરો.

રામજી કહે છે-કે- ભરત તું કોઈ સંકોચ ના રાખ,તું કહે તેમ કરવા હું તૈયાર છું, હું તને નારાજ નહિ કરું.
ભરતજી ને થયું કે-મોટાભાઈએ કોઈ દિવસ મારું દિલ દુભવ્યું નથી,મારાં પાપ તેમણે માફ કર્યા છે.

ભરત કહે છે-કે-હું તો આપણો સેવક છું,આપ આજ્ઞા કરો તે પ્રમાણે હું કરવા તૈયાર છું,રાજ્યાભિષેક ની
તૈયારી કરીને અમે આવ્યા છીએ,આપને રાજ્યતિલક કરવામાં આવે,અયોધ્યા જઈ આપ સર્વેને સનાથ કરો,
રામ અને લક્ષ્મણ અયોધ્યા જાય, અને હું અને શત્રુઘ્ન વનવાસ ભોગવાશું. અથવા,
લક્ષ્મણ-શત્રુઘ્ન ને અયોધ્યા મોકલો અને મને સેવા કરવાનો લાભ આપો. અથવા-
અમે ત્રણે ભાઈઓ વનમાં રહીએ અને તમે સીતાજી સાથે અયોધ્યા જાઓ.

તે જ વખતે-જનક રાજા ત્યાં આવ્યા છે-પુષ્કળ વાતો થઇ છે-
સીતાનો તપસ્વી વેશ જોતાં જનકરાજાનું હૃદય ભરાયું છે.
કૌશલ્યા કહે છે-કે –આ ભરત ને સમજાવો,તે ચૌદ વર્ષ કેવી રીતે જીવી શકશે ?રામ વિરહ તે સહન કરી શકશે નહિ. જનકરાજા કહે છે-કે-હું બ્રહ્મજ્ઞાની છું પણ ભરત ના પ્રેમ આગળ મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી.
પછી સીતાજી ને કહે છે-કે-બેટા હું તને મારી સાથે લઇ જઈશ,તે તો બંને કુળ નો ઉદ્ધાર કર્યો.

સીતાજી કહે છે-કે-મારા પતિ નો વનવાસ એ મારો વનવાસ છે,પિતાજી મને વધારે આગ્રહ ના કરો.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૩૫

      PREVIOUS PAGE
     NEXT PAGE

બીજી તરફ ચિત્રકૂટની તળેટી માં બીજા દિવસની સવારે-ભરતે વશિષ્ઠજી ની આજ્ઞા માગી છે.
“ગુરુજી આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં”
ભરતજી મન માં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-
મારું કાળું મુખ હું રામજી ને કેવી રીતે બતાવું ?રામજી મને જોઈ ને ચાલ્યા જશે તો ? ના,ના મોટાભાઈ
આવું નહિ કરે!! મને જરૂર અપનાવશે.
ભાભી –સીતાજી મને મળવાની, રામજી ને મનાઈ તો કરશે નહિ ને ? ના, ના, સીતાજી ના હૃદયમાં
રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.

સીતારામ સીતારામ કરતાં કરતાં ભરતજી ચાલે છે,ભરતજી નો પ્રેમ એવો છે કે –
તે જોઈ પથ્થરો પણ પીગળી ગયા છે, ભરત દુરથી રામને જુએ છે,અનેક ઋષિઓ સાથે રામ જ્ઞાનની
વાતો માં મશગૂલ છે.ભરત ને નજીક જતા બીક લાગે છે,”હું અપરાધી છું,ત્યાં કેવી રીતે જાઉં ?
કૈકેયી તેં આ શું કર્યું ?સન્મુખ જવા ની મારી હિંમત થતી નથી,મારા લીધે મારા રામને પરિશ્રમ થયો છે.
મારા લીધે મારા રામ દુઃખ ભોગવે છે.ના,ના, તે જીવના દોષ નો વિચાર કરતાં નથી, તેઓ મારો જરૂર સ્વીકાર કરશે” ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા જાય છે.ભરત ને દેહનું ભાન નથી.

પર્ણકુટી ની પ્રદિક્ષણા કરી,એકદમ તો સન્મુખ જઈ શક્યા નહિ, પણ બધા ઋષિઓ ની વચ્ચે જઈ
સાષ્ટાંગ પ્રણામ કર્યા છે,લક્ષ્મણ જી ની નજર ગઈ અને તેમણે રામજી ને કહ્યું કે-ભરત આપને સાષ્ટાંગ
પ્રણામ કરે છે. ભરત નું નામ સાંભળતા જ રામજી બોલી ઉઠ્યા-મારો ભરત ક્યાં છે ?ક્યાં છે ?
ઉભા થઇ ભરત ની નજીક જઈ,ભરત ને ઉઠાવી આલિંગન આપ્યું છે. આંખો ભીની થઇ છે.
તે સમયે દેવો એ પુષ્પ ની વૃષ્ટિ કરી છે.ચિત્રકૂટ પર જીવ અને શિવ નું મિલન થયું છે.

ભરતજી ની દશા જોતાં રામજી ની આંખ માંથી આંસુ નીકળ્યા છે,મારો ભરત દુઃખી થયો છે.
રામજી ના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શકતો નથી.

પરમાત્મા (શ્રી રામચંદ્ર ) ના ચરણમાં જ શાંતિ છે.પરમાત્મા થી વિખુટો પડેલો જીવ જ્યાં જાય ત્યાં અશાંતિ જ છે.સંસાર સુખ-દુઃખ થી ભરેલો છે. આ જીવ ને આનંદ ની ભૂખ છે.પરમાત્મા વિના જગતમાં ક્યાંય આનંદ નથી. માનવ સ્વર્ગ માં જાય કે મોટો જ્ઞાની બને પણ જ્યાં સુધી એ પરમાત્મા ના ચરણ માં આવતો નથી,
ત્યાં સુધી અશાંત રહે છે,પણ જયારે પરમાત્મા ના ચરણ માં આવે ત્યારે તેને પૂર્ણ શાંતિ-આનંદ મળે છે.
મનુષ્ય જીવન નું એક લક્ષ્ય નક્કી કરી સાધન કરે તો-તે એક દિવસ જરૂર પરમાત્મા માં લીન થાય છે.

ભરત ચરિત્ર નું રહસ્ય એ છે-કે-
લક્ષ્મણ એટલે વૈરાગ્ય અને સીતાજી એટલે પરાભક્તિ, આ બંને ને સાથે લઈને -પરમાત્મા કે જે –
ચિત્રકુટમાં –એટલેકે ચિત્તમાં (અંતરમાં) વિરાજે છે-તેમને મળવા જવા તીવ્ર ઈચ્છા સાથે જાય તો –
પરમાત્મા નું જરૂર મિલન થાય છે,પરમાત્મા તે  જીવ ને અપનાવે છે

તે પછી તો ભરતજી એ સીતાજી ને પ્રણામ કર્યા છે,માતાજીએ આશીર્વાદ આપ્યા,એટલે ભરતજી ને ખાતરી થઇ કે-મારા અપરાધની ક્ષમા થઇ છે.
રામજી વશિષ્ઠ જી ને પ્રણામ કરે છે,સર્વ ને રામ એક સાથે જ મળે છે.કૈકેયી ને વંદન કરે છે-કૈકેયી દુઃખી થાય છે,ત્યારે રામ સમજાવે છે-કે-તમે બિલકુલ દુઃખ ન કરો,આમાં તમારો કોઈ દોષ નથી,આ તો વિધિ ની લીલા છે.માતા કૌશલ્યા ને વંદન કરે છે,સાસુજી ને જોતાં સીતાજી વ્યાકુળ થયા છે,સીતાજી નો તાપસી નો વેશ જોતાં કૌશલ્યાનું હૃદય ભરાણું છે. બધાને આસન પર બેસાડી રામજી એ પિતાજીના કુશળ પૂછ્યા.

વશિષ્ઠ જી એ કહ્યું-કે તમારુ સ્મરણ કરતાં કરતાં દશરથ જી એ દેહત્યાગ કર્યો છે.તમારા વિયોગ માં તે જીવી શક્યા  નહિ. રામજી વિલાપ કરે છે.
“મારા પર મારા પિતાજી નો કેવો પ્રેમ હતો,કે છેલ્લા શ્વાસ સુધી મારું સ્મરણ કરતા હતા.”

      PREVIOUS PAGE
     NEXT PAGE