Jun 30, 2021

Gujarati-Ramayan-Rahasya-03-ગુજરાતી-રામાયણ-રહસ્ય-03

'આ શરીર પણ એક બ્રહ્માંડ-રૂપ છે,અલબત્ત,વિરાટ બ્રહ્માંડનું એક નાનું સ્વરૂપ છે.
એ પ્રત્યેક બ્રહ્માંડ (પ્રત્યેક શરીર) માં શ્રીરામનો અવતાર થાય છે.'
આવું જો સમજવામાં આવે તો જીવન –ઉમદા અને આશાભર્યું બની જાય.
જેવી,જીવનમાં ઈશ્વર દર્શનની વ્યાકુળતા પેદા થાય કે તરત જ, અંતઃકરણમાં રહેલા શ્રીરામના અવતારની ક્ષણનો અનુભવ થાય.(અંતરમાંના રામનાં દર્શન થાય)

Jun 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-3-Adhyaya-32-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-3-Adhyaya-32


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-3-Adhyaya-31-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-3-Adhyaya-31


Gujarati-Ramayan-Rahasya-02-ગુજરાતી-રામાયણ-રહસ્ય-02

આ જગત પ્રભુનો આવિર્ભાવ છે,જગતમાં સર્વ જગ્યાએ પ્રભુ સિવાય બીજું કશું નથી.
પ્રભુનું સ્વ-રૂપ એ આનંદ-સ્વ-રૂપ છે.રામજીના ચરણમાં આનંદ,રામજીના મુખમાં આનંદ,રામજીના હાથમાં આનંદ.....રામજીનું આખું શ્રી-અંગ આનંદ-આનંદ છે.
આનંદ સિવાય બીજું કશું નથી.કેટલાક કહે છે કે “ઈશ્વરમાં આનંદ” છે,પરંતુ તેમ નથી, “ઈશ્વર જ આનંદ છે." ઈશ્વર અને આનંદ એ બે અલગ તત્વો નથી. 
ઈશ્વરથી અલગ-ઈશ્વરથી સ્વતંત્ર કોઈ તત્વ છે જ નહિ.
વ્યાસજી કહે છે કે-પરમાત્મા આનંદ-મય છે,આનંદ અને ઈશ્વર ભિન્ન નથી.આ જ અદ્વૈત સિદ્ધાંત છે.

Jun 28, 2021

Saundarya Lahari-With Gujarati Translation-સૌન્દર્યલહરી-ગુજરાતી અનુવાદ સાથે

Gujarati-Ramayan-Rahasya-01-ગુજરાતી-રામાયણ-રહસ્ય-01 (રામાયણ માહાત્મ્ય)

ડોંગરેજી મહારાજની કથા પર આધારિત ભાવાર્થ રામાયણ 
રામાયણ એ મર્યાદા-સંહિતા છે.જેટલો રામજીની કથાનો,રામજીના દર્શનનો મહિમા છે,
તેના કરતાં પણ વધારે રામજીના “નામ"નો (રામ-નામનો) મહિમા છે.
જેટલા અયોધ્યાવાસીઓએ રામજીનાં દર્શન કર્યા તેમને રામે તાર્યા છે,રામ-ચરિત્રના અંતે રામજી તે સર્વેને સદેહે વૈકુંઠમાં લઇ ગયા છે,તે અયોધ્યા-વાસીઓથી પણ લાખો ઘણા વધારે ને “રામ-નામે" તાર્યા છે.એટલે સ્વયં રામજીના કરતાં પણ રામ-નામનો મહિમા વધારે છે.