Aug 17, 2021

Gujarati-Ramayan-Rahasya-46-ગુજરાતી-રામાયણ-રહસ્ય-46

આ રીતે વિધિપૂર્વક એકાદશી ના થાય તો પણ પોતાની મર્યાદા અનુસાર મહિનામાં એક-બે દિવસ અન્નનો ત્યાગ કરીને દૂધ કે ફળ પર રહી શકાય.આરોગ્યની દૃષ્ટિ એ પણ આ વ્રત આવશ્યક છે.આજકાલ લોકો ડોક્ટરો પર બહુ વિશ્વાસ કરે છે પણ વાલ્મીકિ જેવા ઋષિ-મુનિઓ પર વિશ્વાસ નથી કરતા.ડોક્ટર કહે કે-ટાઈફોઈડ થયો છે ને એકવીસ દિવસ અનાજ ખાવાનું નથી તો એને લોકો માનશે.પણ જો સંતો કહે કે-શરીરના,મનના અને આંતરિક સ્વાસ્થ્ય માટે એકાદશી કરો તો કોઈ માનતું નથી.અને આવી એકાદશીઓ ના કરનારને ભગવાન એકી સામટી ૨૧ એકાદશીઓ ઉપર મુજબ કરાવે છે

Aug 16, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-12-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-12


Gujarati-Ramayan-Rahasya-45-ગુજરાતી-રામાયણ-રહસ્ય-45

દશરથજીએ શ્રીરામનું બાલ-સ્વ-રૂપ જોયું અને આનંદની જાણે ભરતી ચડી.
દશરથજીને તે વખતે જે આનંદ થયો તેનું વર્ણન કરવાની જીભમાં શક્તિ નથી.
તુલસીદાસજી કહે છે કે-જીભ વર્ણન કેમ કરી શકે? એ બોલી શકે છે પણ એણે રામજીના દર્શન ક્યાં કર્યા છે?દર્શન તો નેત્રો એ કર્યા છે.અને તે નેત્રો ને વાચા નથી એટલે તે કેવી રીતે બોલી શકે ?

Aug 15, 2021

Gujarati-Ramayan-Rahasya-44-ગુજરાતી-રામાયણ-રહસ્ય-44

ચતુર્ભુજ નારાયણના દર્શન કરી કૌશલ્યાજી પ્રાર્થના કરે છે,પણ જો કૌશલ્યાજીનો આવો ભાવ કાયમ જ રહે તો બાળલીલા કેવી રીતે થાય? એટલે કૌશલ્યાની બુદ્ધિ બદલાઈ.અને તે બોલ્યાં-કે-“તજહુ તાત યહ રૂપા” હે તાત,આ રૂપ તજી દો ને બાળક બની જાઓ,મને મા-મા કહીને બોલાવો.મારે તો તમને બાળ-સ્વ-રૂપે જોવા છે.અને નારાયણ નું ચતુર્ભુજ સ્વ-રૂપ અદશ્ય થયું,ને ભગવાન બે હાથવાળા બાળક બની ગયા.ને બીજાં બાળકો રડે છે તેમ રડવા લાગ્યા.

Aug 14, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-11-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-11


Gujarati-Ramayan-Rahasya-43-ગુજરાતી-રામાયણ-રહસ્ય-43

રામ-જન્મની આગલી રાતે દશરથ રાજા સૂતેલા હતા ત્યાં તેમને રાત્રિના પાછલા પહોરે સુંદર સ્વપ્ન દેખાયું.તે સ્વપ્નમાં જુએ છે કે-તેમને આંગણે મહાત્મા અને ઋષિઓ પધાર્યા છે.અને પોતે સરયુ નદીમાં સ્નાન કરી,ઘેર આવી ઠાકોરજીની પૂજા કરી ભગવાનની આરતી ઉતારતાં ભગવાનના શ્રીઅંગને નિહાળે છે,ત્યારે ભગવાન તેમની સામે જોઈ મરકમરક હસે છે.પછી તેમના શ્રીઅંગમાંથી દિવ્ય તેજ પ્રગટ થાય છે અને કૌશલ્યાજીના શરીરમાં પ્રવેશ કરે છે.આટલું જુએ છે ત્યાં રાજા જાગી જાય છે.જાગીને દશરથ રાજા સીધા વશિષ્ઠ ઋષિ પાસે જઈ અને સ્વપ્નની વાત કહે છે.