જે ઘર છોડીને નકામો પ્રવાસ કરતો નથી,પાપીઓ સાથે મિત્રતા કરતો નથી,પરસ્ત્રીનું સેવન કરતો નથી અને દંભ,ચોરી,ચાડિયાપણું તથા મદ્યપાન કરતો નથી,તે સદા સુખી રહે છે.જે મનુષ્ય આવેશને લીધે ધર્મ,અર્થ તથા કામનો આરંભ કરતો નથી,બોલાવીને પૂછવાથી ખરું જ કહે છે,મિત્ર સાથે વિવાદ કરતો નથી ને પોતાનો સત્કાર ન થાય તો કોપતો નથી,તે જ વિદ્વાન છે.જે ઈર્ષા કરતો નથી,દયા રાખે છે,દુર્બળ હોવાથી બીજાની સાથે વિરોધ કરતો નથી,મર્યાદા છોડીને કદી બોલતો નથી અને કોઈ ઉલટું બોલે તો તેને ક્ષમા કરે છે તેવો પુરુષ પ્રસંશા પામે છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 12, 2024
Nov 11, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-672
ચોરો,ગાફેલ મનુષ્ય પર,વૈદ્યો રોગી પર,પ્રમદાઓ કામી પુરુષ પર,ગોરો યજમાન પર,રાજા વિવાદ કરનારાઓ
પર અને પંડિતો મુર્ખાઓ પર (આ છ) જીવિકા ચલાવે છે.આવો સાતમો દાખલો મળતો નથી.
ગાયો,સેવા,ખેતી,સ્ત્રી,વિદ્યા ને શૂદ્રનો સ્નેહ,આ છ તરફ બે ઘડી બેદરકાર રહેવાય તો તે વિનાશ પામે છે.
આ (હવે પછીના) છ જણા પૂર્વે ઉપકાર કરનારને અવશ્ય વિસરી જાય છે.ભણી રહેલા શિષ્યો આચાર્યને,પરણેલા પુત્રો માતાને,કામરહિત થયેલો પતિ સ્ત્રીને,કૃતકાર્ય થયેલાઓ કાર્યસાધકને,દુસ્તર જળને તરી ગયેલાઓ નૌકાને,
અને રોગી સારો થયા પછી વૈદ્યને ભૂલી જાય છે.હે રાજન,આરોગ્ય,કરજ વિનાની સ્થિતિ,પ્રવાસ ન કરતાં સ્વસ્થાનમાં નિવાસ,સારા મનુષ્યોની સંગતિ,પોતાને અનુકૂળ જીવિકા અને નિર્ભય વાસ-આ છ જીવલોકનાં સુખ છે.ઇર્ષાખોર,દયાળુ,અસંતોષી,ક્રોધી,નિત્ય શંકિત રહેનારો,ને પારકાના ભાગ્ય પર જીવનારો-આ છ નિત્ય દુઃખી છે.
Nov 10, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-671
કઠોર વાણી ન બોલવી ને દુષ્ટની પૂજા ન કરવી-આ બે કર્મ કરનાર મનુષ્ય આ લોકમાં વિશેષ શોભે છે.
નિર્ધનને અનેક પદાર્થોની કામના અને અસમર્થનો ક્રોધ એ બંને શરીરને શોષી નાખનારા તીક્ષ્ણ કાંટા છે.
ગૃહસ્થ હોવા છતાં કાર્ય નહિ કરનાર અને સન્યાસી થઈને કાર્ય કરનાર,એ બંને વિપરીત કર્મ કરવાથી શોભતા નથી.હે રાજન,સમર્થ,ક્ષમાવાન અને દરિદ્રી છતાં દાન દેનાર એ બંને પુરુષો સ્વર્ગની ઉપર રહે છે.
ન્યાયથી આવેલું દ્રવ્ય અપાપત્રને આપવું અને પાત્રને ન આપવું-એ દ્રવ્યના ઉપયોગમાં બે દોષ છે.
યોગયુક્ત સન્યાસી અને યુદ્ધમાં સન્મુખ રહીને મરનારો-એ બંને સૂર્યમંડળને ભેદીને ઉપર જાય છે (61)
Nov 9, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-670
પંડિત બુધ્દ્ધિવાળા પુરુષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરવાની ઈચ્છા રાખે છે ને કોઈનું અપમાન કરતા નથી.
તેઓ બીજાનું કહેવું ઝટ સમજી જાય છે અને તે બરાબર સમજવા માટે લાંબા સમય સુધી સાંભળીને,કાર્યનું યથાર્થ રૂપ જાણ્યા પછી જ કાર્ય હાથમાં લે છે પણ સાહસ કરતો નથી અને પારકાના કામમાં પૂછ્યા વિના બોલતો નથી.
તેઓ દુર્લભ વસ્તુની અભિલાષા કરતા નથી,ગયેલી વસ્તુનો શોક કરતા નથી ને આપત્તિમાં મૂંઝાતા નથી.
જે પોતાના સન્માનથી રાજી થતો નથી,અપમાનથી તપી જતો નથી ને ગંભીર રહે છે તે પંડિત છે.
જે ઉત્પન્ન થયેલા પદાર્થમાત્રને નાશવંત જાણે છે,કર્મના પ્રકારને જાણે છે તે પંડિત છે.
જે અસ્ખલિત વાણી બોલનારો,લોકકથાને જાણનારો,તર્કશીલ,પ્રતિભાવાળો ને શાસ્ત્રોનો બરોબર અર્થ
કહેનારો છે તે પંડિત છે.જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે ને મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી તે પંડિત છે.(29)
Nov 8, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-669
પ્રજાગર પર્વ
અધ્યાય-૩૩-વિદુરનીતિ
II वैशंपायन उवाच II द्वाःस्थं प्राह महाप्राज्ञो धृतराष्ट्रो महीपतिः I विदुरं द्रष्टुमिच्छामि तमिहानय म चिरम् II १ II
વૈશંપાયને કહ્યું-તે પછી,મહાબુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર રાજાએ દ્વારપાલને વિદુરને બોલાવી લાવવા કહ્યું.એટલે દ્વારપાલ વિદુરને લઈને આવ્યો ત્યારે વિદુરે બે હાથ જોડી ધૃતરાષ્ટ્ર આગળ ઉભા રહીને તેમની આજ્ઞા માગી ત્યારે ધૃતરાષ્ટ્રે તેને કહ્યું કે-હે વિદુર,સંજય હમણાં આવ્યો ને મારી નિંદા કરીને ઘેર ગયો તે યુધિષ્ઠિરનો સંદેશો કાલ સભામાં કહેશે.
યુધિષ્ઠિરનું શું કહેવું છે તે મારા જાણવામાં આવ્યું નહિ તેથી મારાં ગાત્ર બળે છે અને મને ઊંઘ આવતી નથી.
તું ધર્મ અને અર્થમાં કુશળ છે,તો તું જે હિતકારક હોય તે મને કહે,મને તીવ્ર ચિંતા થાય છે.(12)
Nov 7, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-668
અધ્યાય-૩૨-સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ
II वैशंपायन उवाच II अनुज्ञातः पाण्डवेन प्रययौ संजयस्तदा I शासनं धृतराष्ट्रस्य सर्व कृत्वा महात्मनः II १ II
વૈશંપાયને કહ્યું-પછી,મહાત્મા ધૃતરાષ્ટ્રની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કરીને,તે સંજય યુધિષ્ઠિરની આજ્ઞા લઈને હસ્તિનાપુર પાછો પહોંચ્યો,ત્યાં જઈને તેણે ધૃતરાષ્ટ્રની પાસે જઈને તેમને કહ્યું કે-'હે રાજા,હું સંજય,પાંડવોની પાસે જઈને પાછો આવ્યો છું.યુધિષ્ઠિરે તમને પ્રણામ કરીને તમારા,તમારા પુત્રોના,પૌત્રોના,સ્નેહીઓના,અને બીજા જે તમારાથી જીવિકા ચલાવે છે તે સર્વનું કુશળ પૂછ્યું છે અને તેઓ સર્વ કુશળ છે.

