અધ્યાય-૩૪-વિદુરનીતિ (ચાલુ)
II धृतराष्ट्र उवाच II जाग्रतो दह्यमानस्य यत्कार्यमनुपश्यति I तद्बुध्धि त्वं हि नस्तात धर्मार्थकुशलोह्यसि II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે તાત વિદુર,મને ઊંઘ આવતી નથી ને ચિંતારૂપી અગ્નિથી બળુ છું,માટે તમે જે કાર્ય કરવા યોગ્ય જોતા હો તે કહો કારણકે તમે ધર્મ અને અર્થમાં કુશળ છો.મને ખરેખરું કહો કે યુધિષ્ઠિર શું કરવા ધારે છે?
વિદુર બોલ્યા-હે રાજન,જેનો પરાભવ ન થાય તેવી આપણી ઈચ્છા હોય તેને વગર પૂછ્યે પણ હિતવાત કહેવી,પછી ભલે તે શુભ-અશુભ હોય કે રુચિકર કે અરુચિકર હોય.માટે કૌરવોને જે હિતકારક હોય તે ધર્મયુક્ત વચન સાંભળો.