Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 6, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-779
અધ્યાય-૧૨૨-યયાતિ ફરી સ્વર્ગમાં ગયો
II नारद उवाच II प्रत्यभिज्ञातमात्रोथ सद्भिरतैर्नरपुंगवः I समारुरोह नृपतिरस्पृशन्ववसुधातलम् I
ययतिर्दिव्यसंस्थानो बभूव विगतज्वरः II १ II
નારદે કહ્યું-તે સજ્જનોએ નરશ્રેષ્ઠ યયાતિ રાજાને ઓળખ્યો,તેની સાથે જ તે ક્લેશરહિત થઈ,પૃથ્વીતળનો સ્પર્શ ન કરતાં,સ્વર્ગ તરફ ઊંચે ચઢવા લાગ્યો.તે વખતે,માધવીના પુત્રો વસુમના,પ્રતર્દન,શિબિ,અને અષ્ટકે પોતપોતાનું પુણ્યફળ તેને આપ્યું.અને
તે પુણ્યફળ પ્રાપ્ત થતાં જ તે પૃથ્વીનો ત્યાગ કરીને ફરીથી સ્વર્ગ તરફ ઊંચે ચડવા લાગ્યો.આ રીતે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલા યયાતિને તેના દોહિત્રોએ પોતાના યજ્ઞ અને દાનના ધર્મ વડે તાર્યો હતો.તે વખતે તે રાજાઓ બોલ્યા કે-હે રાજા,અમે તમારા દોહિત્રો,રાજાઓના ધર્મ અને ગુણોથી યુક્ત છીએ અને સર્વ ધર્મગુણોથી સંપન્ન છીએ,એ પુણ્યના સામર્થ્યથી તમે સ્વર્ગમાં ચઢો.
અધ્યાય-122-સમાપ્ત
Apr 5, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-778
અધ્યાય-૧૨૦-માધવીની તપશ્ચર્યા-યયાતિ સ્વર્ગમાં ગયો
II नारद उवाच II स तु राज पुनस्तस्याः कर्तुकामः स्वयंवरम I उपगम्याश्रमपदं गंगायमुनसंगमे II १ II
નારદે કહ્યું-પછી,તે યયાતિ રાજા,તે માધવીનો સ્વયંવર કરવાની ઈચ્છાથી ગંગા-યમુનાના સંગમ આગળ આવેલ એક આશ્રમમાં ગયો.તેના પુત્રો પુરુ અને યદુ,તે માધવીને રથમાં બેસાડીને વર ખોળવા આસપાસ ફરવા લાગ્યા.અનેક રાજાઓ અને ઋષિઓથી વસાયેલું તે વન ચોતરફ ફેલાયેલું હતું.માધવીને તે સર્વનાં નામો કહ્યાં,પણ માધવીએ વનવાસને જ પસંદ કર્યો,ને તે રથમાંથી ઉતરી જઈને,બંધુઓને નમસ્કાર કરીને વનમાં જઈને તપશ્ચર્યા કરવા લાગી.
Apr 4, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-777
અધ્યાય-૧૧૮-ઉશીનરને માધવી આપી
II नारद उवाच II तथैव तां श्रियं त्यक्त्वा कन्या भूत्वा यशस्विनी I माधवी गालवं विप्रमभ्ययात्सत्यसंगरा II १ II
નારદે કહ્યું-સત્ય પ્રતિજ્ઞાવાળી યશસ્વિની માધવી પૂર્વની જેમ જ કન્યારૂપ ધારણ કરીંને ગાલવ પાસે આવી પછી,તે બંને ઉશીનર રાજાની પાસે ભોજ નગરમાં ગયા.ગાલવે આગળ મુજબ જ ઘોડાઓની માગણી કરી,ત્યારે રાજાએ કહ્યું કે-'મારી પાસે માત્ર બસો ઘોડાઓ છે.મને તમારું સર્વ વૃતાંત જાણમાં છે,હું પણ એક પુત્ર ઉત્પન્ન કરીને માધવીને પાછી આપીશ'
Apr 3, 2025
Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૨
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-776
અધ્યાય-૧૧૬-ગાલવે,તે માધવી રાજા હર્યશ્વને આપી
II नारद उवाच II हर्यश्वस्त्वब्रविद्राजा विचिन्त्य बहुधा ततः I दीर्घमुष्णं च निःश्वस्य प्रजाहेतो र्नृपोत्तमः II १ II
નારદે કહ્યું-નૃપતિશ્રેષ્ઠ હર્યશ્વ રાજા,અનેક પ્રકારના વિચાર કર્યા પછી,પ્રજાના કારણથી લાંબો નિસાસો નાખી કહેવા લાગ્યા કે-આ કન્યા ઘણાં લક્ષણોથી યુક્ત છે.સામુદ્રિક શાસ્ત્રમાં કહેવા પ્રમાણે જે છ અવયવો (બે સ્તન,બે નિતંબ,બે નેત્ર) ઉન્નત હોવા જોઈએ તે ઉન્નત છે.જે સાત સ્થાન (ત્વચા,કેશ,દાંત,હાથ અને પગની આંગળીઓ,ને આંગળીઓના પર્વો) સૂક્ષ્મ હોવાં જોઈએ તે સૂક્ષ્મ છે.જે ત્રણ (સ્વર,મન,નાભિ)ગંભીર હોવાં જોઈએ તે ગંભીર છે ને જે પાંચ (હથેળી,નેત્રના છેડા,તાળવું,જીભ,નીચલો હોઠ)લાલ હોવાં જોઈએ તે લાલ છે.એકંદર આ કન્યા દેવો-અસુરોએ જોવા યોગ્ય,રૂપવાળી,ને ચક્રવર્તી પુત્રને પણ જન્મ આપવા સમર્થ છે,માટે હે દ્વિજશ્રેષ્ઠ,મારા વૈભવ તરફ દ્રષ્ટિ રાખી તમે એનું મૂલ્ય કહો (4)



