અધ્યાય-૭૮-છઠ્ઠો દિવસ-સંકુલ યુદ્ધ-ભીમનું પરાક્રમ
॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राजा मोहत्प्रत्यागतस्त I शरवर्षे: पुनर्भीमं प्रत्यवारयद्च्युतम् ॥१॥
સંજયે કહ્યું-ત્યાર પછી દુર્યોધનરાજા,જયારે મૂર્છામાંથી પાછો ફર્યો ત્યારે ભીમસેન સામે ધસી ગયો અને બાણોનો વરસાદ વરસાવતો તેને આગળ વધતો અટકાવવા લાગ્યો.હે રાજન,તમારા બીજા પુત્રો પણ એકત્ર થઈને ભીમસેન સામે યુદ્ધ કરવા સજ્જ થયા.તે વેળા,ભીમસેન પણ પોતાના રથ પાસે આવીને રથ પર ચડ્યો ને પોતાનું દૃઢ ધનુષ્ય લઈને તમારા પુત્રોને વીંધવા લાગ્યો.સામે દુર્યોધને તીક્ષ્ણ નારાચ બાણથી દુર્યોધનના મર્મસ્થાનમાં સખત પ્રહાર કર્યો.પછી,ક્રોધથી લાલ થયેલી આંખોવાળા ભીમે ઘણા વેગપૂર્વક ધનુષ્ય ખેંચીને દુર્યોધનને ત્રણ બાણો વડે છાતીમાં ને બે ભુજાઓ પર પ્રહાર કર્યો.





