Oct 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-961

 

અધ્યાય-૭૯-છઠ્ઠો દિવસ સમાપ્ત 


॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राज लोहितायति भास्करे I संग्राममरभसो भीमं हन्तुकामोभ्यधावत ॥१॥ 

સંજયે કહ્યું-તે પછી,સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હોવાથી રક્ત વર્ણનો થવા લાગ્યો ત્યારે દુર્યોધન,ભીમને મારવાની ઈચ્છાથી ઉતાવળો થઈને દોડ્યો.પોતાના કટ્ટર દુશ્મન દુર્યોધનને આવતો જોઈને ભીમ તેને ક્રોધ પૂર્વક કહેવા લાગ્યો કે-'વર્ષોથી જે સમય ઇચ્છેલો તે આજે આવી પહોંચ્યો છે.આજે હું તને મારીને માતા કુંતીના ક્લેશને ને અમારા વનવાસના ને દ્રૌપદીના દુઃખોને દૂર કરીશ.પૂર્વે કર્ણના ને શકુનિના મત પર આધાર રાખીને ને પાંડવોને હિસાબમાં નહિ ગણીને તેં તારી ઈચ્છા મુજબ વર્તન કરીને,શ્રીકૃષ્ણનું પણ અપમાન કર્યું છે.હું આજે તારા કુટુંબ સહીત તારો નાશ કરીશ ને તારાં પાપોનો બદલો વાળીશ'

Oct 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-960

 

અધ્યાય-૭૮-છઠ્ઠો દિવસ-સંકુલ યુદ્ધ-ભીમનું પરાક્રમ 


॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राजा मोहत्प्रत्यागतस्त I शरवर्षे: पुनर्भीमं प्रत्यवारयद्च्युतम् ॥१॥ 

સંજયે કહ્યું-ત્યાર પછી દુર્યોધનરાજા,જયારે મૂર્છામાંથી પાછો ફર્યો ત્યારે ભીમસેન સામે ધસી ગયો અને બાણોનો વરસાદ વરસાવતો તેને આગળ વધતો અટકાવવા લાગ્યો.હે રાજન,તમારા બીજા પુત્રો પણ એકત્ર થઈને ભીમસેન સામે યુદ્ધ કરવા સજ્જ થયા.તે વેળા,ભીમસેન પણ પોતાના રથ પાસે આવીને રથ પર ચડ્યો ને પોતાનું દૃઢ ધનુષ્ય લઈને તમારા પુત્રોને વીંધવા લાગ્યો.સામે દુર્યોધને તીક્ષ્ણ નારાચ બાણથી દુર્યોધનના મર્મસ્થાનમાં સખત પ્રહાર કર્યો.પછી,ક્રોધથી લાલ થયેલી આંખોવાળા ભીમે ઘણા વેગપૂર્વક ધનુષ્ય ખેંચીને દુર્યોધનને ત્રણ બાણો વડે છાતીમાં ને બે ભુજાઓ પર પ્રહાર કર્યો.

Oct 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-959

 

દ્રોણાચાર્યથી વીંધાયેલો દ્રુપદરાજા,પોતાનું પૂર્વવૈર યાદ કરીને યુદ્ધમાંથી ખસી ગયો,ત્યારે તે જીતથી દ્રોણે શંખનાદ કર્યો.

ને પછી મૂર્છિત પડેલા તમારા પુત્રો પાસે આવીને તેમણે પ્રજ્ઞાસ્ત્રનો પ્રયોગ કરીને મોહનાસ્ત્રનો નાશ કર્યો એટલે તમારા પુત્રો ભાનમાં આવી ગયા.ને ફરીથી ભીમ ને ધૃષ્ટદ્યુમ્ન સામે યુદ્ધ કરવા ધસી ગયા.મધ્યાહ્નન વખતે યુધિષ્ઠિરે પોતાના સૈનિકોને બોલાવીને અભિમન્યુ,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન વગેરેના ખબર લાવવાનું કહ્યું,એટલે સૈનિકો ત્યાંથી ચાલી નીકળ્યા.

કેકયો,દ્રૌપદીના પાંચ પુત્રો,ધૃષ્ટકેતુ વગેરે યોદ્ધાઓએ અભિમન્યુને આગળ કરીને 'સુચીમુખ' (સોયની આકૃતિનો) નામનો વ્યૂહ રચ્યો ને તેથી તેમણે કૌરવોના સૈન્યને ભેદી નાખ્યું.ભીમ ને ધૃષ્ટદ્યુમ્નના મારથી ને ભયથી આવિષ્ટ થયેલી કૌરવોને સેના 

આ બાર મહાધનુર્ધરોને અટકાવી શકી નહિ.ને તેમને આવેલા જોઈને ભીમ ને ધૃષ્ટદ્યુમ્ન આનંદમાં આવી ગયા.

Oct 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-958

 

અધ્યાય-૭૭-છઠ્ઠો દિવસ-સંકુલ યુદ્ધ-દ્રોણ પરાક્રમ 


॥ संजय उवाच ॥ आत्मदोषात्वया राजन प्राप्तं व्यसनमिदशः I नहि दुर्योधनस्तानि पश्यते भरतर्षंम ॥१॥ 

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ રાજા,તમે તમારા દોષથી જ આવું સંકટ પ્રાપ્ત કરેલું છે.અધર્મ કરવાથી જે દોષો પ્રાપ્ત થાય છે તે તમે જાણતા હતા,દુર્યોધન જાણતો ન હતો.તમારા દોષથી જ જુગાર રમાયો અને તમારા દોષથી જ પાંડવો સામે યુદ્ધનો પ્રારંભ થયો છે,તમે પોતે દોષ કર્યો છે તો હવે તેનું ફળ પણ તમે જ ભોગવો.કારણકે પોતે કરેલાં કર્મો પોતાને જ આ લોકમાં તથા મરણ પછી પરલોકમાં ભોગવવાં પડે છે.માટે તમને આ યોગ્ય જ ફળ મળેલું છે.ને મોટું સંકટ આવી પડ્યું છે.તો પણ હવે સ્થિર થાઓ અને મારી પાસેથી યુદ્ધ શી રીતે ચાલ્યું તેનું વૃતાંત સાંભળો.

Oct 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-957

 

અધ્યાય-૭૬-ધૃતરાષ્ટ્રનો ઉદ્વેગ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं बहुगुण सैन्यमेवं बहुविधं पुरा I व्यूढमेवं बहुविधं पुरा I व्यूढमेवं यथाशासममोघं चैव संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,આપણું સૈન્ય અનેક ગુણોવાળું.અનેક પ્રકારનું તથા શાસ્ત્રોક્ત વ્યૂહોથી નિષ્ફળ ન થાય તેમ ગોઠવેલું છે.વળી હર્ષમાં રહેનારું,આપણને ઇચ્છનારું-નમનારું ને વ્યસનોથી રહિત છે તથા કસાયેલું છે.આપણા સૈન્યમાંના યોદ્ધાઓ અતિવૃદ્ધ નથી કે નાની ઉંમરના પણ નથી,નબળા નથી,ઝડપથી કામ કરી શકે તેવા છે,બળવાળા ને નિરોગી છે.આપણા સર્વ સૈનિકો કવચધારી અને અનેક શસ્ત્રો ધારણ કરનાર છે.તેઓ તલવાર યુદ્ધ,તોમર યુદ્ધમાં,શક્તિ યુદ્ધમાં,મુસળ યુદ્ધમાં,ધનુષ્ય યુદ્ધમાં અને મુષ્ટિ યુદ્ધમાં -આદિ અનેક પ્રકારના યુદ્ધ કરવામાં સમર્થ છે.

Oct 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-956

 

અધ્યાય-૭૫-છઠ્ઠો દિવસ-મકર વ્યૂહ ને ક્રૌંન્ચ વ્યૂહ 


॥ संजय उवाच ॥ ते विश्रग्नततो राजन सहिताः कुरुपांडवा I ततोतायं तु सर्वर्या पुनर्युद्वाय् निर्ययुः ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,આખી રાત વિશ્રાંતિ લઈને,કૌરવોએ તથા પાંડવોએ તે રાત ગાળી.પછી,સવાર થતાં ફરી યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા.તે વખતે,તમારાં તથા પાંડવોનાં સૈન્યોમાં સજ્જ કરતા રથોનો,તૈયાર કરાતા હાથીઓનો,કવચો ધારણ કરતા પાળાઓનો,તથા તૈયાર કરતા ઘોડાઓનો મહાન શબ્દ થઇ રહ્યો.ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી,ધૃષ્ટદ્યુમ્ને મકરવ્યૂહ રચ્યો.

તે વ્યૂહના શિરોભાગમાં દ્રુપદરાજા અને અર્જુન,મુખસ્થાનમાં ભીમ ઉભો રહ્યો.અભિમન્યુ,દ્રૌપદીના પુત્રો,ઘટોત્કચ,સાત્યકિ ને યુધિષ્ઠિર ગ્રીવાસ્થાનમાં,વિરાટરાજા ને ધૃષ્ટદ્યુમ્ન પીઠના ભાગમાં,કેકેયદેશના પાંચ ભાઈઓ ડાબા પડખામાં,ધૃષ્ટકેતુ અને ચેકિતાન જમણા પડખામાં તથા કુંતીભોજ અને શતાનીક રાજા પગના સ્થાનમાં,શિખંડી અને ઈરાવાન પુચ્છ ભાગમાં ઉભા રહ્યા.