Aug 12, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1191

નારાયણાસ્ત્ર મોક્ષપર્વ 

અધ્યાય-૧૯૩-દ્રોણાચાર્યના વધના વૃતાંતનું અશ્વત્થામાને નિવેદન 

II संजय उवाच II ततो द्रोणे हते राजन कुरवः शस्त्रपीडिताः I हतप्रवीरा विध्वस्ता भृशं शोकपरायणाः II १ II

સંજય બોલ્યો-હે રાજન,આમ દ્રોણાચાર્યનું મરણ થતા શસ્ત્રથી પીડાયેલા કૌરવો અત્યંત શોકપરાયણ થઇ ગયા હતા.તેમનો ઉત્સાહ નાશ પામ્યો હતો અને શોકને લીધે તેમનું તેજ હણાયું હતું,કારમી ચિચિયારીઓ પાડતા તે સર્વ તમારા પુત્રની આસપાસ વીંટાઈ વળ્યા.કૌરવોના કંઠો અશ્રુઓથી ગળગળા થઇ ગયા હતા.તેઓ બધા ધૂળથી ભરાઈ ગયા હતા,થરથર ધ્રુજતા હતા ને દશેય દિશાઓને નિહાળી રહ્યા હતા.તમારો પુત્ર જાણે ત્રાસ પામેલાં મૃગોનાં ટોળાઓથી વીંટાઈ ગયો હતો અને ત્યાં ઉભો રહેવાને પણ અશક્ત થઈને નાસી જવા તત્પર થયો.

Aug 11, 2026

ભાગવત રહસ્ય-૨૨૨-Bhgavat Rahasya-222

ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –
અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1190

 

અધ્યાય-૧૯૨-દ્રોણાચાર્યનો વધ 


II संजय उवाच II सात्वतस्य तु तत्कर्म दष्ट्वा दुर्योधनादय: I शैनेयं सर्वतः कृद्वा वारयामासुरंजसा II १ II

સંજય બોલ્યો-સાત્યકિના તે કર્મને જોઈને દુર્યોધન આદિ યોદ્ધાઓ ક્રોધે ભરાયા ને તેની સામે ધસી તેને સર્વ તરફથી અટકાવવા લાગ્યા.ત્યારે પાંડવ ભાઈઓ તેની આસપાસ વીંટાઈ વળ્યાં.સામે કર્ણ,કૃપાચાર્ય,દુર્યોધને આવીને સાત્યકિ સામે બાણોની વર્ષા કરી કે સામે સાત્યકિએ ઉદય પામેલી તે બાણવૃષ્ટિને અટકાવી દીધી.વળી શત્રુઓએ પ્રયોજેલાં દિવ્ય અસ્ત્રોનો પણ સામે વિધિવત દિવ્ય અસ્ત્રો મૂકીને તે દિવ્ય અસ્ત્રોનો અટકાવ કર્યો.તે રણમાં ભયંકર રક્તપાત થયો હતો.પછી,યુધિષ્ઠિરના કહેવાથી સૃન્જય યોદ્ધાઓ સુસજ્જ થઈને દ્રોણાચાર્ય સામે ધસ્યા.

Aug 10, 2026

ભાગવત રહસ્ય -૨૨૧-Bhgavat Rahasya-221

ભગવાન શંકર -રામાયણના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણનો પાઠ કરવો છે.રામાયણના શ્લોકના ત્રણ સરખા ભાગ કરતાં-અને 
વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજીને ઝગડો ગમતો નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1189

 

અધ્યાય-૧૯૧-દ્રોણાચાર્યનું અંતિમ પરાક્રમ 


II संजय उवाच II तं दष्ट्वा परमोद्विग्नं शोकोपाहातचेतसम I पंचालराजस्य सुतो ध्रुष्ट्ध्युम्न समाद्रवत II १ II

સંજય બોલ્યો-દ્રોણાચાર્યને પરમ ઉદ્વેગ પામેલા ને શોકથી ખિન્ન થયેલા જોઈને,પાંચાલરાજનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન તેમની સામે ધસ્યો.તે ધૃષ્ટદ્યુમ્નને રાજા દ્રુપદે,મહાયજ્ઞમાં દેવોને હવિર્ભાગનું અર્પણ કરીને દ્રોણાચાર્યનો વિનાશ કરવા માટે પ્રદીપ્ત અગ્નિ પાસેથી મેળવ્યો હતો.તે ધૃષ્ટદ્યુમ્ને એક ઘોર ધનુષ્ય હાથમાં લઈને અગ્નિસમાન મોટી જ્વાળાઓવાળું બાણ સાંધ્યુ.તે દિવ્ય બાણ જોઈને દ્રોણાચાર્ય પોતાના શરીરનો અંત આવેલો જ માનવા લાગ્યા.છતાં તેનું વારણ કરવા માટે પોતાનો બનતો પ્રયત્ન કરવા લાગ્યા હતા,પરંતુ તેમનાં દિવ્ય અસ્ત્રો તે વેળા પ્રગટ થયાં નહિ.

Aug 9, 2026

ભાગવત રહસ્ય -૨૨૦-Bhgavat Rahasya-220

રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.યુદ્ધ વખતે રાવણનું બખ્તર 
ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે.
રામજીની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મનની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,
પણ રામજીએ રાવણને કહ્યું-કે-અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, 
આવતી કાલે યુદ્ધ કરવા આવજો.જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુને કહે કે-
આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.