Sep 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-623

લિંગ-શરીરનું ચલન હૃદય-કમળના ચલન થી થાય છે,
હૃદય-કમળનું ચલન,પહેલાંના ભોક્તા-પણા-આદિના સ્મરણ-રૂપ-વાસનાઓથી થાય છે,
તે વાસનાઓનું ચલન, સ્વ-રૂપના અજ્ઞાનને લીધે,ચૈતન્યમાં થયેલા દ્રશ્યાકારના સ્ફુરણ થી થાય છે.

Sep 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-622

જેમ,જળમાં તરંગ-પણું અને તે તરંગ માં ફીણ-પણું થાય છે,
તેમ,જીવને શરીરનો દૃઢ  અભ્યાસ પ્રાપ્ત થતાં,તે,શરીરમાં મોટી વ્યાધિઓ અને મોટી ચિંતાઓ થાય છે અને તે જીવ  દીનતા ને પ્રાપ્ત  થાય છે.
જેમ,સૂર્ય-એ-પોતે જ પ્રકાશિત કરેલાં વાદળોથી ઢંકાઈ જાય છે,
તેમ,ચૈતન્ય-શક્તિ,પોતે જ પ્રકાશિત કરેલા દેહના યોગથી
"હું ચૈતન્ય નથી" એવી ભાવનાઓથી પરવશ થઇ જાય છે.(દીનતા ને પ્રાપ્ત થાય છે)