વસિષ્ઠ કહે છે કે-જેમ લાકડું અને કરવતનો સંયોગ થવાથી,લાકડાના બે ભાગ થઇ જાય છે,અને તે જ લાકડાના બે ભાગને ઘસવાથી તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે,તેમ,પ્રાણ અને અપાનનો પરસ્પર સંઘર્ષ થવાથી,અગ્નિ (જઠરાગ્નિ) ઉત્પન્ન થાય છે. કે જે-(નીચેના અને ઉપરના ભાગમાં સંબંધ રાખનાર,પરસ્પર મળેલા મુખવાળો,
આમાશય અને પક્વાશય -એવા નામથી કહેવામાં આવતા સ્થૂળ માંસ-પિંડના) જઠરના ભાગમાં હોય છે.