Apr 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-801

હે શિખીધ્વજ રાજા,જેમ અગ્નિમાં જવાળાઓ, પવન વડે ઉત્પન્ન થાય છે,
તેમ ચિત્ત આદિ કે જે સંકલ્પથી ઉત્પન્ન થાય છે અને સંકલ્પનો નાશ થવાથી નાશ પામી જાય છે.
એ રીતે એક આત્મ-તત્વથી ભરપૂર સર્વત્ર પ્રસરી ગયેલી બ્રહ્મ-સત્તા વડે,સર્વ જગત ભરચક છે.
હું નથી,તમે નથી કે બીજા કોઈ પણ નથી,આ દૃશ્ય પદાર્થો પણ નથી,ચિત્ત પણ નથી અને આકાશ પણ નથી,
એક ફક્ત નિર્મળ આત્મા જ છે.એ જ આત્મા (જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં)
જુદાજુદા પદાર્થો રૂપે દેખાય છે,તો તેમાં દ્રષ્ટા-દર્શન-દ્રશ્યની ત્રિપુટીની ખોટી કલ્પના ક્યાંથી હોય?

Apr 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-800

કર્તા,કર્મ અને કારણ વગરના એ પરબ્રહ્મમાં કારણપણું છે જ નહિ,
તેથી તેના કાર્ય-રૂપે જણાતું આ નામરૂપવાળું જગત થયું જ નથી.
માટે શુદ્ધ આકાશના જેવું બ્રહ્મ જ (કે જે તમારું સ્વરૂપ પણ છે તે જ) સત્તા-રૂપે સર્વત્ર રહેલ છે,
આથી તમે એવી જ (એ બ્રહ્મની જ) ભાવના રાખો.એ બ્રહ્મ જ અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં જગતના આકારે ફેલાઈ રહેલું દેખાય છે (તેને જગત જ દેખાય છે) અને જ્ઞાનીને જગત,નિર્વિકાર સત્ય-બ્રહ્મ,આકારે ભાસે છે.