જેમ,જળ પોતાની અંદર તરંગ-આદિ વિવર્ત-ભાવને પ્રાપ્ત થઇ જાય છે,
તેમ,ચિદાત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વ-રૂપમાં,"અહંભાવની સૃષ્ટિ-રૂપે" વિવર્ત-ભાવને પ્રાપ્ત થઇ જાય છે,તો પછી તેમાં વળી,ભિન્નભિન્ન ભાવોની કલ્પના કેવી હોય? પરમાત્માની અંદર ભ્રાંતિથી અનેક સૃષ્ટિઓ જોવામાં આવે છે,પરંતુ તે પરમાત્માથી જુદી નથી.(પરમાત્મા અને સૃષ્ટિ-બંને એક જ છે)
જેમ,અંકુર,પોતાની અંદર વૃક્ષ-પત્ર-ફળ-આદિ ભાવને અનુભવે છે,તેમ,અવિવેકી પુરુષનો આત્મા પણ આકાશના જેવો અસંગ અને નિર્વિકાર છે,છતાં તે પોતાની અંદર (અજ્ઞાનને લીધે) જગત અને અહંકારને અનુભવે છે.