Sep 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-932

વસિષ્ઠ (શ્રોતાઓને) કહે છે કે- હે મુમુક્ષુઓ-છતાં અજ્ઞાની શ્રોતાઓ,મુક્તિ મેળવવામાં
(૧) ભોગોનો ત્યાગ (૨) આત્મ-વિચાર અને (૩) મન-ઇન્દ્રિયો-વગેરેનો નિગ્રહ કરવાનો પોતાનો પુરુષાર્થ,
આ ત્રણ સિવાય બીજા કશાનો ખપ પડતો નથી,એમ નિશ્ચય કરી તમે સર્વ અનાત્મ-વસ્તુને છોડી દો.
અને કેવળ પોતાના આત્માનું જ તમે તત્વજ્ઞાન દ્વારા શરણ લો.

Sep 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-931

જેમ,જળ પોતાની અંદર તરંગ-આદિ વિવર્ત-ભાવને પ્રાપ્ત થઇ જાય છે,
તેમ,ચિદાત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વ-રૂપમાં,"અહંભાવની સૃષ્ટિ-રૂપે" વિવર્ત-ભાવને પ્રાપ્ત થઇ જાય છે,તો પછી તેમાં વળી,ભિન્નભિન્ન ભાવોની કલ્પના કેવી હોય? પરમાત્માની અંદર ભ્રાંતિથી અનેક સૃષ્ટિઓ જોવામાં આવે છે,પરંતુ તે પરમાત્માથી જુદી નથી.(પરમાત્મા અને સૃષ્ટિ-બંને એક જ છે)
જેમ,અંકુર,પોતાની અંદર વૃક્ષ-પત્ર-ફળ-આદિ ભાવને અનુભવે છે,તેમ,અવિવેકી પુરુષનો આત્મા પણ આકાશના જેવો અસંગ અને નિર્વિકાર છે,છતાં તે પોતાની અંદર (અજ્ઞાનને લીધે) જગત અને અહંકારને અનુભવે છે.

Sep 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-930

બ્રહ્મ નિર્વિકાર છે અને સર્વત્ર સમાન-રૂપે રહેલ છે.તેની અંદર (બ્રહ્મની અંદર) જગતના પદાર્થોના
વિચિત્ર "સ્વ-ભાવો"ની સ્થિતિ સંભવતી નથી,તેથી તે  (બ્રહ્મના) "સ્વ-ભાવ" ને જગતના હેતુરૂપ કહી શકાતો નથી.
એટલે,"દૃશ્યનો (જગતનો) અભાવ સિદ્ધ કરવા જતાં,આત્માનું અસ્તિત્વ પણ રહી શકતું નથી"
એવી કોઈ નાસ્તિક શંકા કરે-તો તે સાચી નથી,કેમ કે,આત્માના અસ્તિત્વનો નિષેધ કરનાર,
નાસ્તિક પુરુષનો "પોતાનો આત્મા તો સાબિત જ છે" તેથી તેનો નિષેધ કેમ સંભવે?
એ નાસ્તિક પોતાનાથી જુદા દેખાતા દૃશ્યના આત્માનો નિષેધ કરે પણ પોતાના આત્માનો નિષેધ કરી શકે નહિ.