વસિષ્ઠ (શ્રોતાઓને) કહે છે કે- હે મુમુક્ષુઓ-છતાં અજ્ઞાની શ્રોતાઓ,મુક્તિ મેળવવામાં
(૧) ભોગોનો ત્યાગ (૨) આત્મ-વિચાર અને (૩) મન-ઇન્દ્રિયો-વગેરેનો નિગ્રહ કરવાનો પોતાનો પુરુષાર્થ,
આ ત્રણ સિવાય બીજા કશાનો ખપ પડતો નથી,એમ નિશ્ચય કરી તમે સર્વ અનાત્મ-વસ્તુને છોડી દો.
અને કેવળ પોતાના આત્માનું જ તમે તત્વજ્ઞાન દ્વારા શરણ લો.