પરંતુ જયારે સર્વ પદાર્થો પરમતત્વ સાથે એકરૂપતાને પામે છે,ત્યારે મન,વાસના,કર્મો અને હર્ષ-ક્રોધ-આદિ વિકારો ક્યાં જતા રહે છે-તે જાણવામાં જ આવતું નથી અને ફક્ત ધ્યાન-નિષ્ઠતા અને સ્થિરતા જ અવશેષ રહે છે.
સર્વ ભોગોને નિઃરસ સમજી,કશામાં આસક્ત નહિ થનાર,પોતાના આત્મામાં જ આનંદ માનનાર અને ક્રમે કરી ચિત્ત-વૃત્તિ આત્માની અંદર ધ્યાન દ્વારા ગળી ગયેલ હોવાથી,શાંતિને પ્રાપ્ત થયેલ તે યોગી પુરુષ,
સહજ રીતે જ સમાધિ-સિદ્ધ જ છે.
સહજ રીતે જ સમાધિ-સિદ્ધ જ છે.