આત્માના સ્વરૂપને ઓળખી ગયેલા (અને જેથી જડતાથી રહિત થયેલા) એ વિવેકી પુરુષને અંદર,સહુ પ્રથમ સંસાર પ્રત્યે વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે,અને પછી તે સત્સંગતિનો આશ્રય કરે છે.સત્સંગતિ વડે ઉદાર બુદ્ધિવાળો થયેલ તે મહાન પુરુષ શાસ્ત્ર-વિચાર અને શાસ્ત્રમાં બતાવેલ શમ-દમ-આદિ ગુણોમાં નિમગ્ન રહે છે.
તેવા વિવેકી પુરુષને પ્રથમ તો દ્રવ્ય (ધન) લેવાની (કમાવાની) ઈચ્છા પર વિરામ થઇ જાય છે
અને ઈશ્વરે,પોતાને જે કંઈ આપેલ હોય તેટલાથી જ સંતોષ પામે છે.