Nov 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-978

આત્માના સ્વરૂપને ઓળખી ગયેલા (અને જેથી જડતાથી રહિત થયેલા) એ વિવેકી પુરુષને અંદર,સહુ પ્રથમ સંસાર પ્રત્યે વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે,અને પછી તે સત્સંગતિનો આશ્રય કરે છે.સત્સંગતિ વડે ઉદાર બુદ્ધિવાળો થયેલ તે મહાન પુરુષ શાસ્ત્ર-વિચાર અને શાસ્ત્રમાં બતાવેલ શમ-દમ-આદિ ગુણોમાં નિમગ્ન રહે છે.
તેવા વિવેકી પુરુષને પ્રથમ તો દ્રવ્ય (ધન) લેવાની (કમાવાની) ઈચ્છા પર વિરામ થઇ જાય છે
અને ઈશ્વરે,પોતાને જે કંઈ આપેલ હોય તેટલાથી જ સંતોષ પામે છે.

Nov 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-977

(૪૭) મોક્ષના સાધનો અને વૈરાગ્યની પ્રાપ્તિ
વસિષ્ઠ કહે છે કે-સંસાર-રૂપી ભારથી ખૂબ થાકી ગયેલો અને મરણ-મૂર્છા-આદિ અનેક સંકટોમાં આળોટનારા શરીરને ધારણ કરી રહેલો -જે પુરુષ -શાંતિ મેળવવા ઈચ્છતો હોય,તેનો આ ક્રમ કહું છું તે તમે સાંભળો.
જયારે,કોઈ કારણને લીધે (અથવા વિના કારણે પણ) કોઈ પુરુષના હૃદયમાં વિવેકનો એકાદો પણ અંકુર પણ પેદા થાય છે ત્યારે તે મુમુક્ષુ પુરુષ મહાત્માઓનો (સત્સંગનો) આશ્રય લે છે અને અજ્ઞાની-જનોને દૂરથી જ છોડી દે છે.

Nov 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-976

પરંતુ જયારે સર્વ પદાર્થો પરમતત્વ સાથે એકરૂપતાને પામે છે,ત્યારે મન,વાસના,કર્મો અને હર્ષ-ક્રોધ-આદિ વિકારો ક્યાં જતા રહે છે-તે જાણવામાં જ આવતું નથી અને ફક્ત ધ્યાન-નિષ્ઠતા અને સ્થિરતા જ અવશેષ રહે છે.
સર્વ ભોગોને નિઃરસ સમજી,કશામાં આસક્ત નહિ થનાર,પોતાના આત્મામાં જ આનંદ માનનાર અને ક્રમે કરી ચિત્ત-વૃત્તિ આત્માની અંદર ધ્યાન દ્વારા ગળી ગયેલ હોવાથી,શાંતિને પ્રાપ્ત થયેલ તે યોગી પુરુષ,
સહજ રીતે જ સમાધિ-સિદ્ધ જ છે.